June 23, 2026
ગુજરાત

ગોલ્ડમેન કુંજલ પટેલે ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી,

અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં સિઝિંગના ધંધા સાથે સંકળાયેલા એક વ્યક્તિએ આપઘાત કર્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ગળેફાંસો ખાઈ આપઘાત કરનાર કુંજલ પટેલ ઉર્ફે કે. પી પટેલ અગાઉ દરિયાપુર વિસ્તારમાંથી એક રાજકીય પાર્ટીના ઉમેદવાર તરીકે પણ ચૂંટણીમાં ઉભો હતો. સમગ્ર બાબતે પરિવારમાં થયેલો ઝગડો કારણભૂત છે કે અન્ય કોઈ કારણ તે બાબતે માધુપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે, આપઘાત કરનાર કુંજલ પટેલ સોનાના દાગીના પહેરવાનો શોખીન હતો જેથી તે તેની ઓળખ બની ગઇ હતી. માધુપુરામાં આવેલી યોગેશ સોસાયટીમાં કુંજલ પટેલ નામના વ્યક્તિ રહેતા હતા. શનિવારે તેઓએ ઘરે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

માધુપુરા પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું કે, કુંજલ વાહન સિઝિંગના ધંધા સાથે સંકળાયેલો હતો અને તે ધંધાના માર્કેટમાં નામચીન વ્યક્તિ હતો. આપઘાત પહેલા તેણે તેની પત્ની સાથે બોલવાનું થયું હતું. કુંજલને તેના ભાઈ સાથે થયેલા ઝગડાનું સમાધાન થતા તેણે પત્નીને સમાધાનની જાણ કરી હતી. બાદમાં પત્નીએ આ બાબતે બોલતા તેને કુંજલએ પિયર જતું રહેવાનું કહેતા તે પિયર જતી રહી અને બાદમાં કુંજલે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

કુંજલ અગાઉ એક રાજકીય પાર્ટીમાંથી પણ ચૂંટણી લડવા ઉમેદવારી નોંધાવી ચુક્યો હોવાનું માધુપુરા પી.આઇ. આર. ટી. ઉદાવતે જણાવ્યું છે.  વધુમાં તેઓએ જણાવ્યું કે, આપઘાત પાછળ પરિવારમાં બનેલી આ ઘટના જ કારણભૂત છે કે, અન્ય કોઈ કારણ છે તે બાબતે તપાસ કરવામાં આવશે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે

Related posts

બાપુનગર વ્‍હાઈટ હાઉસમાં પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ થયું

Ahmedabad Samay

વીરોને વંદન, માટીને નમન – અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં થશે શહીદ વનનું નિર્માણ

Ahmedabad Samay

નિકોલની ૩૦ વર્ષીય મહિલાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું

Ahmedabad Samay

પોલીસ બેડામાં શોકનો માહોલ, રેન્જ આઇ.જી કેસરસિંહ ભાટીનું અવસાન

Ahmedabad Samay

કોરોનાના સારા સમાચાર ૩૫૦થી વધુ બેડ ખાલી, કોરોના થોડો ધીમો પડ્યો

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા જનસેવા દિવસ ઉજવવામાં આવશે અને એન્ડ્રોઇડ એપ લોન્ચ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો