March 25, 2026
અપરાધરાજકારણ

આમ આદમી પાર્ટી ઉપર અસામાજીક તત્વોએ જીવલેણ હુમલો કર્યો

New up 01

“ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા મોટા પાયે યાત્રા કરવામાં આવી રહી છે, જે હેઠળ જન સંવેદના યાત્રા અત્યારે હાલમાં જુનાગઢમાં પહોંચી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા નેતાઓ પર ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. જુનાગઢના વિસાવદરના લેરિયા ગામમાં આપ નેતા ઈસુદાન ગઢવી, મહેશભાઈ સવાણી અને પ્રવીણ રામના કાફલા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો,ઘટના બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે આ ગુજરાત હવે બિહાર થઈ રહ્યું છે.

 

ઘટના બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે આ ગુજરાત હવે બિહાર થઈ રહ્યું છે.

જનસંવેદના યાત્રા દરમિયાન કરી રહ્યા હતા અને વીસથી પચીસ લોકો અચાનક તૂટી પડ્યા અને લોખંડની પાઈપોથી હુમલા કરવામાં આવ્યા છે. ખુરશીઓની નીચે છુપાઈને અમે લોકોએ જીવ બચાવ્યો છે અને અહિયાં મોટી જાનહાનિ પણ થઈ શકતી હતી. અમે આમારા કાર્યકર્તાઓને લોહીલુહાણ જોયા છે.

ઈસુદાન ગઢવીએ કહ્યું કે વિજયભાઈ આ વ્યવસ્થાને નહીં સંભાળી શકે. આજે માંડ માંડ જીવ બચાવ્યો છે અને મહેશભાઇ સવાણી પણ કારમાં નીચે છુપાઈ ગયા હતા અને માંડ માંડ જીવ બચાવવામાં આવ્યો છે.”

આ હુમલો આમ આદમી પાર્ટી ઉપર નહીં પરંતુ ગુજરાતની જનતા ઉપર છે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગ્યા છે જનતા તેનો જવાબ દેશે હજુ તો ચૂંટણી આવી નથી ત્યાં જ ભાજપ દ્વારા આવી હલકી રાજનીતિ કરવામાં આવી રહી છે જે ગુજરાતના લોકો ચલાવી નહીં લે.

Related posts

રાહુલ ગાંધી આજે સુરતની અદાલતમાં માનહાનિના કેસ સંદર્ભે હાજર થયા

Ahmedabad Samay

સાત શખ્સોએ 14 વર્ષીય કિશોરની કરી હત્યા

Ahmedabad Samay

ભાજપના એક ઉમેદવારની કારમાંથી મળેલા ઈવીએમના પગલે ખળભળાટ મચી ગયો

Ahmedabad Samay

દેશની રાજધાનીમાં ધ્રૂજાવી દેનારી ઘટના બની છે. ૨૨ વર્ષની યુવતીને શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો

Ahmedabad Samay

વડોદરામાં એક સાથે પરિવારના છ સભ્યોએ કરી આત્મહત્યા, ૩ ના મૃત્યુ ૩ સારવાર ગંભીર હાલતમાં

Ahmedabad Samay

હંસપુરા પોલીસ ચોકીમાં ૧૫૧ કલમમાં લોકપમાં ન પુરવાનો ભાવ ૨૦૦૦₹, વકીલનો વહીવટ ૨૦૦૦ જેટલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો