પ્રાંતિજ ના વાધપુર ગામે પ્રેમ પકર ને લઈ ને વાધપુર ખાતે રહેતા ૨૬ વર્ષ ના રણજીતસિંહ રજુજી ચૌહાણ ને પાંચ યુવાનો દ્રારા તેને જીવલેણ મારમારતા મોત નિપજયુ હતુ જેને લઈ ને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે યુવાન ના મોત ને લઈ ને ગામનાજ પાંચ ઈસમો રાકેશ ભગાભાઇ દેવીપૂજક , મુકેશભાઇ રામાભાઇ દેવીપૂજક , હસમુખભાઇ અમરતભાઇ દેવીપૂજક , ભરતભાઈ રમણભાઇ દેવીપૂજક , સોમાભાઈ રમણભાઇ દેવીપૂજક તમામ તમામે-તમામ રહે વાધપુર વિરૂધ્ધ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ થઇ હતી જેમા પ્રાંતિજ પોલીસ દ્રારા ગુનોનોંધી ગણતરીના કલાકોમાંજ રાકેશ ભગાભાઇ દેવીપૂજક તથા મુકેશભાઇ રામાભાઇ દેવીપૂજક ની ધરપકડ કરી હતી તો અન્ય ત્રણ આરોપીઓમા એક બાળઆરોપી હસમુખભાઇ અમરતભાઇ દેવીપૂજક તથા અન્ય બે ભરતભાઈ રમણભાઇ દેવીપૂજક , સોમાભાઈ રમણભાઇ દેવીપૂજક ત્રણેય આરોપીઓને પણ બીજા દિવસે પ્રાંતિજ પોલીસ ઝડપી પાડયા હતા જેમા બાળ આરોપી હસમુખભાઇ અમરતભાઇ દેવીપૂજક ને મહેસાણા ખાતે આવેલ બાળ ગુહ મા મોકલી આપવામા આવ્યો હતો તો પ્રાંતિજ પોલીસે બાળ આરોપી સહિત મર્ડર ના ચારેય આરોપીઓએ ઝડપી પાડી ને જેલ હવાલે કર્યા હતા
