May 9, 2026
અપરાધ

નારોલ : વેપારીએ ખંડણી નહિ આપતા કર્યુ ફાયરીંગ

પરિવારની સુરક્ષા ઈચ્છતો હોય તો રૂપિયા પાંચ લાખ તૈયાર રાખજે, ગબ્બર બોલું છું આ પ્રકારે ફોન પર મુર્તીનો વેપાર કરતા વેપારીને ફોન પર ધમકી આપી. વેપારીએ ખંડણી નહિ આપતા કર્યુ ફાયરીંગ. સીસીટીવીના દ્રશ્યોમા દેખાય છે કે બાઈક પર ત્રણ શખ્સો આવે છે, જેમાંથી એક હથિયાર લઈને વેપારીના ગોડાઉનમાં પ્રવેશ કરીને ફાયરીંગ કરીને ફરાર થઈ જાય છે.

કારણ કે વેપારીએ ખંડણીખોરને પાંચ લાખની ખંડણી આપવાનો ઈન્કાર કર્યો. આ ઘટનાથી મુર્તીના વેપારી અને તેનો પરિવાર દહેસતમા છે. અને ખડંણીખોર આરોપીથી રક્ષણની માંગ કરી રહયા છે.

વેપારી ગૌરવ પ્રજાપતી અને તેનો પરિવાર વર્ષોથી ભગવાનની મુર્તીઓ બનાવીને વેચાણ કરે છે. તેમનો ધંધો અમદાવાદ અને સુરત ચાલે છે. ખંડણી આપનાર શખ્સોએ વેપારીને ધમકી આપી હતી કે અમદાવાદ અને સુરતમાં પરિવારની સલામતી ઈચ્છતો હોય તો પાંચ લાખ ખંડણી આપ.

જેથી આરોપીઓ વેપારીથી પરિચીત હોવાનું પોલીસે શકયતા વ્યકત કરી છે. ખડંણીખોરએ આપેલી ધમકી બાદ વેપારીએ પોલીસ સ્ટેશનમાં અરજી કરીને જાણ કરી હતી. પરંતુ ગુનેગારોને પોલીસનો ડર ના રહયો હોય તેમ ખુલ્લેઆમ ફાયરીંગ કરીને વેપારીને ડરાવીને ફરાર થઈ ગયા હતા.

નારોલ પોલીસે ફાયરીંગની ઘટનામાં અજાણ્યા ત્રણ ખડંણીખોર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત સીસીટીવી ફુટેજ અને કોલ લોકેશનના આધારે પોલીસે શંકાસ્પદ આરોપીની અટકાયત કરી વધું તપાસ શરૂ કરી છે.

New up 01

 

Related posts

સુરતમાં પોલીસના હપ્તારાજ ને બેનકાબ કરતા એડવોકેટ પર પોલીસ દ્વારા કરવામા આવ્યો જીવલેણ હુમલો

Ahmedabad Samay

હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાન આર્મીના ચીફ જનરલ અસીમ મુનીર હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં, હુમલામાં પ્રતિબંધિત આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદનો ઉપયોગ કરવામાં આવ્યો આવી રહ્યો,

Ahmedabad Samay

રાજકોટમાં જુગારની રમઝટ જામી: પોલીસે ૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ૧૪ની ધરપકડ કરી

Ahmedabad Samay

તીક્ષ્ણ હથિયાર વડે ૧૯ ઘા મારી યુવકની કરાઇ હત્યા

Ahmedabad Samay

બગોદરામાં બોગસ તબીબ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી

Ahmedabad Samay

શહેરમાં માથાભારે શખ્શ છરી લઈને આતંક મચાવતો, લોકોને છરી મારીને લૂંટનો પ્રયાસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો