May 7, 2026
દેશ

અમેરિકાએ ૩૬ કલાકમાં જ લીધો બદલો, એરસ્ટ્રાઇ કરી અમેરિકાએ લીધો બદલો

અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર બોંબ ધડાકો કરી અમેરિકા સહિત સમગ્ર વિશ્વને હચમચાવી નાખનર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના ‘બુરા દિવસો’ શરૂ થઇ ગયા છે. કાબુલ એરપોર્ટ પર થયેલા ધડાકામાં પોતાના ૧૩ સૈનિકો ગુમાવનાર અમેરિકા બદલાતી આગમાં સળગી રહ્યુ છે અને હુમલાના માત્ર ૪૮ કલાકમાં જ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ISના આતંકીઓ વિરૂધ્ધ  એર સ્ટ્રાઇક કરી છે અને તેમાં મુખ્ય ષડયંત્રકાર માર્યો ગયો છે.

અમેરિકાએ શનિવારે વહેલી સવારે પોતાને ઇસ્લામિક સ્ટેટ ગણાવતા આતંકવાદી સંગઠન સામે ડ્રોન હુમલા કર્યા છે. અહેવાલ છે કે, અમેરિકાએ અફદ્યાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પાસે થયેલા વિસ્ફોટોનો બદલો લીધો છે. પેન્ટાગોને શનિવારે આ માહિતી આપી હતી. એરપોર્ટ પર આત્મદ્યાતી બોમ્બ ધડાકામાં ઓછામાં ઓછા ૧૬૯ લોકો માર્યા ગયા હતા. ૧૩ અમેરિકન સૈનિકો પણ આ આતંકી હુમલામાં જીવ ગુમાવનારાઓમાં સામેલ છે. ઇસ્લામિક સ્ટેટ (ISIS-K) ના ખોરાસન મોડલે આ બોમ્બ ધડાકાની જવાબદારી સ્વીકારી હતી. આ દરમિયાન, અમેરિકાએ કાબુલ એરપોર્ટ પર બીજા હુમલાની શકયતા વ્યકત કરી છે અને તેના નાગરિકોને તાત્કાલિક બહાર જવા વિનંતી કરી છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ સેનાએ નંગહાર પ્રાંતમાં આ હુમલા કર્યા છે. સુરક્ષાના કારણોસર, અમેરિકી નાગરિકોને વિભિન્ન દરવાજા મારફતે શ્નદ્બજીદ્બલૃ એરપોર્ટ છોડવાનું કહેવામાં આવ્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રવકતા કેપ્ટન બિલ અર્બને એક નિવેદન બહાર પાડ્યું, ‘યુએસ લશ્કરી દળોએ આઈએસઆઈએસ-કે પ્લાનર વિરુદ્ઘ આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધર્યું.’ ઇસ્લામિક સ્ટેટ ખોરાસને કાબુલ એરપોર્ટ પર હુમલાની જવાબદારી લીધી. જોકે, આ ડ્રોન હુમલાથી આઇએસને થયેલા નુકસાન વિશેની હજી કોઇ માહિતી નથી મળી.

Related posts

કર્ણાટક મ્યુ. કોર્પો. ચૂંટણીમાં કોંગ્રેસની જીત, ભાજપનો કારમો હાર

Ahmedabad Samay

એર ઇન્ડિયા, એર એશિયા, વિસ્તારા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના મર્જરથી અન્ય એરલાઇન્સમાં ફફડાટ,શું આ ચાંડાળ ચોકળી બધી એરલાઇન્સના તાળા બંધ કરાવી દેશે ?

Ahmedabad Samay

ભારતમાં વેકસિનેશન ઝડપથી થઇ રહ્યું છે. ત્રીજી લહેર નહિ આવે ભારતમાં

Ahmedabad Samay

બિહાર બાદ મોદી નું નેક્સ્ટ ટાર્ગેટ બંગાળ

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીર હુમલામાં ચાર ગુજરાતીઓ ફસાયા. પ્રાથમિક માહિતી અનુસાર ચારેય ગુજરાતીઓ ઘાયલ, ચારેય પ્રવાસી ભાવનગરના

Ahmedabad Samay

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી અને આ પ્રકારના તમામ દાવાઓ તદ્દન ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો