રાજયમાં ત્રીજી લહેરના ભણકારા વચ્ચે કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં ગુજરાત પોલીસના ઓફિશિયલ ટ્વિવટર હેન્ડલ પર તસવીર શેર કરીને કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, ઓમિક્રોનના વધતાં પ્રભાવ વચ્ચે હેર સલૂન અને બ્યુટી પાર્લરના માલિકોએ કોવિડ ગાઈડલાઇનને ચુસ્ત પણે અમલમાં મૂકી ગ્રાહકોને તથા પોતાને સુરક્ષિત રાખવા.
ગુજરાત પોલીસ દ્વારા રાજયના હેર સલૂન અને બ્યૂટી પાર્લરને ઓમિક્રોન મુકત રાખવા માટે કોવિડ ગાઈડલાઈન સંપુર્ણપણે લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્વીટ કરાયેલ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હેર સલૂન અને બ્યૂટી પાર્લરમાં ક્ષમતાના ૫૦ ટકા ગ્રાહકોને જ પ્રવેશ આપવામાં આવશે. સાથે જ કર્મચારીઓને રસીના બંને ડોઝ મુકાવી લેવા, માસ્ક તથા હાથમોજા પહેરી રાખવા માટેના આદેશ કરાયા હતા. તેમજ સલૂન અને પાર્લરના માલિકોને ગ્રાહકો માટે સેનેટાઈઝરની વ્યવસ્થા ગોઠવવા માટે પણ જણાવવામાં આવ્યું હતું.

