March 23, 2026
ગુજરાત

મ્યુનિ.કમિશનરની મંજુરી વગર ફર્નિચરને લગતી કોઇપણ આઇટમ કોઇપણ ખાતાએ ખરીદવાની રહેશે નહીં.

અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા  એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં તમામ ખાતાઓના વડાઓને ફર્નિચર ખરીદી માટેની વહીવટી પ્રક્રિયાને અનુસરવા માટે આદેશ કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે, જે તે ખાતાના વડા અધિકારીઓને 1.25 લાખની મર્યાદામાં ફર્નિચર મેળવવા માટે જરૃરી બજેટની ફાળવણી કરી, પોતાના ખાતાના ડે. કમિશનરની વહીવટી અને નાણાંકીય મંજુરી મેળવવાની રહેશે.

ડે. કમિશનરની મંજુરી મળ્યા બાદ જે તે ખાતાએ મંજુર થયેલા ફર્નિચરનું બજેટ ફાળવી, ઇન્ડેન્ટ ભરી જરૃરી ફર્નિચર સેન્ટ્રલ સ્ટોર્સ ખાતેથી મેળવવાનું રહેશે. ઇન્ડેન્ટ વગર ફર્નિચર ઇસ્યુ થઇ શકશે નહીં. 1.25 લાખથી વધુ કિંમતના ફર્નિચર તેમજ સેન્ટ્ર્લ સ્ટોર્સ પાસે ઉપલબ્ધ ન હોય તેવા ફર્નિચરની જરૃરિયાત માટે ફરજિયાત મ્યુનિ.કમિશનરની મંજુરી મેળવવાની રહેશે. ફર્નિચરને લગતી કોઇપણ આઇટમ કોઇપણ ખાતાએ ખરીદવાની રહેશે નહીં.

Related posts

કોરોના પ્રુફ કપડા પહેરો અને બેફિકર ફરો

Ahmedabad Samay

આ વર્ષે કાંકરિયા કાર્નિવલ કોરોનાના વધતા સંક્રમણના કારણે નહિ યોજાય

Ahmedabad Samay

AMCમાં 5 વર્ષમાં 22 મહિલાઓએ સત્તાવાર પોતાની મરજીથી સિંગલ મધર બની કરાવી નોંધણી

Ahmedabad Samay

ગાંધીનગર: ગૃહમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું, છેલ્લા 3 વર્ષમાં 325 સિંહના મૃત્યું થયા, આટલાના અકુદરતી રીતે મોત

Ahmedabad Samay

રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ સાથે મુલાકાત બાદ મહંત દિલીપદાસજીએ સરકાર તરફી નિવેદન આપતાં આશ્ચર્ય

Ahmedabad Samay

પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં આરોગ્યની અસુવિધા સામે કરેલી અરજીમાં ઉઠાવ્યા આ સવાલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો