જીસીએસ હોસ્પિટલ દ્વારા વિશ્વ હૃદય દિવસ, 29 સપ્ટેમ્બરના રોજ અરવિંદ લિમિટેડના કર્મચારીઓ માટે હૃદયની સંભાળ વિષે જાગૃતિ માટે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત કાર્ડીઓલોજિસ્ટ, ડો. ઝીશાન મન્સૂરી દ્વારા અરવિંદ મિલ્સના કર્મચારીઓને હૃદયરોગના જોખમો અને હૃદય સ્વસ્થ રાખવા માટેની કાળજી વિષે સમજાવવામાં આવ્યું હતું.
અરવિંદ લિમિટેડના કર્મચારીઓ દ્વારા પણ હૃદયને સ્વસ્થ રાખવા માટેના પગલાં જેવા કે, પૌષ્ટિક આહાર, નિયમિત કસરત, ધૂમ્રપાન નિષેધ અને મીઠાનો ઓછો ઉપયોગનો નિશ્ચય કરાયો હતો. જીસીએસ હોસ્પિટલમાં હૃદયને લગતી દરેક પ્રકારની તકલીફની સારવાર ઉપલબ્ધ છે અને આયુષ્યમાન યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ છે.
