May 10, 2026
ગુજરાત

ગુજરાતમાં તા. ૧ ઓકટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થશે

ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ ગુજરાતમાં તા. ૧ ઓકટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થનાર છે. તે અંતર્ગત તમામ ગામો અને શહેરોમાંથી નકામુ પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવશે. બીજા દિવસે ગાંધી જયંતીએ સવારે ૧૦ થી તમામ ગામોમાં ગ્રામસભા થશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે. ગ્રમસભામાં જલજીવન મિશન અંતર્ગત માહિતી અપાશે.

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જલજીવન મિશન, સ્વચ્છતા અભિયાન, કોરોના રસીકરણ, ૧પ મી નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામો, ઘર-ઘર સુધી નળ જોડાણ, વગેરેની બાબતો આવરી લેવામાં આવશે. વડાપ્રધાન પાલનપુર તાલુકાના પીપલી ગામ અને વલસાડના પારડી તાલુકાના કોલક ગ્રામ પંચાયતની સભામાં ત્યાંના સરપંચ સાથે ઓનલાઇન સંવાદ કરશે.

સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત તા. ૧ થી ૩૧ ઓકટોર દરેક ગામમાં સફાઇ માટે અભિયાન હાથધરવામાં આવશે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગથી લોકોને બચાવવાના પગલા લેવામાં આવશે. પ્લાસ્ટિક ધન કચરો એકત્ર કરવામાં આવશે. રસી લેવામાં બાકી હોય તેને રસી લઇ લેવા ગ્રામસભા દ્વારા અનુરોધ કરાશે.

Related posts

RTE માં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૭૦૦ બેઠકોનો ઘટાડો કરવામાં આવ્યો

Ahmedabad Samay

રેલવે કોન્સ્ટેબલ સમય સુચકતા પતિ પત્ની બંનેના જીવ બચાવ્યા

Ahmedabad Samay

અમદાવાદ: શહેરમાં તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચ્યું, હજુ બે દિવસ ગરમીનો પારો વધવાની વકી

admin

જીસીએસ હોસ્પિટલ દ્વારા કિડની અને મૂત્રમાર્ગના રોગો માટે નિઃશુલ્ક કેમ્પ

Ahmedabad Samay

વિકલાંગોને સરકારી નોકરીમાં મળતા આરક્ષણને બંધ કરાતા રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની જીવન પર શુ થશે અસર જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી દ્વારા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો