February 6, 2026
ગુજરાત

ગુજરાતમાં તા. ૧ ઓકટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થશે

ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ ગુજરાતમાં તા. ૧ ઓકટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થનાર છે. તે અંતર્ગત તમામ ગામો અને શહેરોમાંથી નકામુ પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવશે. બીજા દિવસે ગાંધી જયંતીએ સવારે ૧૦ થી તમામ ગામોમાં ગ્રામસભા થશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે. ગ્રમસભામાં જલજીવન મિશન અંતર્ગત માહિતી અપાશે.

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જલજીવન મિશન, સ્વચ્છતા અભિયાન, કોરોના રસીકરણ, ૧પ મી નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામો, ઘર-ઘર સુધી નળ જોડાણ, વગેરેની બાબતો આવરી લેવામાં આવશે. વડાપ્રધાન પાલનપુર તાલુકાના પીપલી ગામ અને વલસાડના પારડી તાલુકાના કોલક ગ્રામ પંચાયતની સભામાં ત્યાંના સરપંચ સાથે ઓનલાઇન સંવાદ કરશે.

સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત તા. ૧ થી ૩૧ ઓકટોર દરેક ગામમાં સફાઇ માટે અભિયાન હાથધરવામાં આવશે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગથી લોકોને બચાવવાના પગલા લેવામાં આવશે. પ્લાસ્ટિક ધન કચરો એકત્ર કરવામાં આવશે. રસી લેવામાં બાકી હોય તેને રસી લઇ લેવા ગ્રામસભા દ્વારા અનુરોધ કરાશે.

Related posts

ગીતાબા ચાવડા દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરાયું,સુંદર કાર્યભાર બદલ ભાસ્કર ભટ્ટ દ્વારા જનસંપર્ક કાર્ય ખાતે મુલાકાત કરાઇ

Ahmedabad Samay

ગુજરાત સરકારનો મોટો નિર્ણય,DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજી શકશે.

Ahmedabad Samay

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

Ahmedabad Samay

‘રામાયણ’ સ્ટાર ભારત પર ચાલુ કરાશે

Ahmedabad Samay

અમદાવાદ: વાળીનાથ ચોક પાસે 4 દિવસ પહેલા પડેલા ભૂવાએ તંત્રની પોલ ખોલી, સમારકામ ન થતા વાહનચાલકોને હાલાકી

Ahmedabad Samay

જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ શરૂ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો