June 27, 2026
ગુજરાત

ગુજરાતમાં તા. ૧ ઓકટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થશે

ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ ગુજરાતમાં તા. ૧ ઓકટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થનાર છે. તે અંતર્ગત તમામ ગામો અને શહેરોમાંથી નકામુ પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવશે. બીજા દિવસે ગાંધી જયંતીએ સવારે ૧૦ થી તમામ ગામોમાં ગ્રામસભા થશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે. ગ્રમસભામાં જલજીવન મિશન અંતર્ગત માહિતી અપાશે.

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જલજીવન મિશન, સ્વચ્છતા અભિયાન, કોરોના રસીકરણ, ૧પ મી નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામો, ઘર-ઘર સુધી નળ જોડાણ, વગેરેની બાબતો આવરી લેવામાં આવશે. વડાપ્રધાન પાલનપુર તાલુકાના પીપલી ગામ અને વલસાડના પારડી તાલુકાના કોલક ગ્રામ પંચાયતની સભામાં ત્યાંના સરપંચ સાથે ઓનલાઇન સંવાદ કરશે.

સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત તા. ૧ થી ૩૧ ઓકટોર દરેક ગામમાં સફાઇ માટે અભિયાન હાથધરવામાં આવશે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગથી લોકોને બચાવવાના પગલા લેવામાં આવશે. પ્લાસ્ટિક ધન કચરો એકત્ર કરવામાં આવશે. રસી લેવામાં બાકી હોય તેને રસી લઇ લેવા ગ્રામસભા દ્વારા અનુરોધ કરાશે.

Related posts

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે ધૂમધામથી જળયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

Ahmedabad Samay

મેઘાણીનગર શાકમાર્કેટમાં ભાડું વસૂલી કરતા લોકોની તાનાશાહીનો મેઘાણીનગર પોલીસ દ્વારા આવ્યો અંત

Ahmedabad Samay

જુલાઈ – ઓગસ્ટ માં કોરોના નો કેહર વધવાની શકયતા

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અને અમદાવાદની પ્રખ્યાત એઈમ્સ હોસ્પીટલ દ્વારા વિરમગામ શહેર માં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

ખુશી કા આંગન ફાઉન્ડેશન દ્વારા મનથી થોડા કમજોર યુવતીઓને તેમની માનસિક અને શારીરિક સુરક્ષા ધ્યાન રાખવાનું સમજાવાયુ

Ahmedabad Samay

શંકાની આડમાં પતિ બહાર જાય તો પત્નીને રસોડામાં પુરી જતો, આખરે કંટાળી વાત પોલીસ સ્ટેશન પહોંચી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો