આજ રોજ જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા ચોથા નોરતા નિમિત્તે ગરીબ વિધવા બહેનોને સાડી વિત્રણનું કાર્યક્રમ આયોજન કરવામા આવ્યુ હતું. આજ રોજ સવારે ૧૦ વાગ્યે સરસપુર ખાતે આવેલ રોહિદાસ હોલ ખાતે જન જાગૃતિ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી એસ.પી.ભદૌરીયાના વરદ હસ્તે સાડી વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી.આ કાર્યક્રમમાં ૪૦૦ થી ૫૦૦ જેટલી વિધવા બહેનોને સાડી વિતરણ કરવામા આવી હતી.
આ અગાઉ પણ જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા રાજ્યના અનેક વિસ્તારમા સાડી વિતરણ અને જુદા જુદા જનકલ્યાણના કાર્ય કરવામા આવ્યા હતા, આ કાર્યક્રમ દ્વારા જન જાગૃતિ ફાઉન્ડેશનના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા અને કોરોના માટેની સરકારી ગાઈડલાઈનો પુરે પુરે ધ્યાન રાખી કાર્યક્રમ સફળ બનાવવામા આવ્યુ હતુ.
