આજ રોજ અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ પૂતળા દહન કરવામા આવ્યુ હતુ.
કશ્મીરમાં આઈકાર્ડ જોઈને બે શીખ શિક્ષકોની દિન દહાડે સ્કૂલમાં આંતકવાદીઓ દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામા આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધુ હતુ જેનો દેશ ભરમા વિરોધ કરવામા આવી રહ્યુ છે અને શીખ સમુદાય તરફથી પણ ઉગ્ર વિરોધ કરવામા આવી રહ્યો છે અને અનેક હિન્દૂ સનગઠનો દ્વારા પણ વિરોધ કરવામા આવી રહ્યુ છે.
જે અંતર્ગત આજ રોજ અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના જિલ્લા અધ્યક્ષ શ્રી સૌમિલસિંહ તોમર દ્વારા અમદાવાદના મેમકો વિસ્તારમા પૂતળા દહન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ જણાવ્યુ હતુ કે સમસ્ત હિન્દુઓ એ એકજૂથ થવુ જોઈએ દરેક જાતિના લોકોએ એકજૂથ થઇ અવાજ ઉઠાવી જોઈએ અને ઉગ્ર વિરોધ કરી પાકિસ્તાને તેની હરક્તનો વળતો જવાબ આપવા સરકારને આવેદન કરવુ જોઈએ.
આ કાર્યક્રમમા સંગઠના તમામ હોદેદારો અને કાર્યકરોએ મોટા પ્રમાણમા ઉપસ્થિત રહ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો.
