નરોડા પોલીસ સ્ટેશન ની હદમાં આવતા નાના ચિલોડા વિસ્તારમાં તારીખ ૧૩/ ૧૦/૨૦૨૧ ના રોજ બિહારના રહેવાસી ની ૩ વર્ષ ની દીકરીનું નરાધમ દ્વારા બળાત્કાર ગુજારવા માં આવેલ છે.જે ખૂબજ નિંદનીય છે.સમાજ માં આવી ઘૃણાસ્પદ ઘટનાઓને ચલાવી ન લેવાય તે માટે
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ઉપરોક્ત ઘટનાની નિંદા કરે છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી , ગૃહમંત્રી શ્રી તેમજ કલેકટર શ્રી ને આવેદન કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીને ફાંસી આપવા માં આવે અને પીડિત પરિવારને યોગ્ય આર્થિક સહાય આપી ન્યાય આપવા માટે માંગણી કરી છે.
