ગુજરાત સરકારે આજે કરી મહત્વની જાહેરાત, આવતીકાલથી રાજ્યમાં ધોરણ ૦૧ થી ૦૫ ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે શિક્ષણમંત્રી વાઘાણીએ સુરતમાં જાહેરાત કરી હતી.
વર્ગમાં વિદ્યાર્થીઓ ની હાજરી મરજીયાત રાખવામાં આવી છે. સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું પડશે. તેમજ ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે.
૨૦૨૦ માં કોરોના સંક્રમણની શરૂઆત થતા રાજ્યમાં ૧૫ માર્ચથી સ્કૂલો બંધ કરવામાં આવી હતી. ૨૦ મહિના બાદ રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૦૧ થી ૦૫ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સમાચાર સાંભળતા વાલીઓ અને શાળાના સંચાલકોમાં ખુશી જોવા મળી રહી છે.
