May 15, 2026
ગુજરાત

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફલાવર પાર્ક અને ફલાવર શો માટે ઓનલાઇન ટિકિટિંગ બુકિંગ શરૂ કરાઇ

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફલાવર પાર્ક અને ફલાવર શો માટે ઓનલાઇન ટિકિટિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એએસમી તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ યાદી પ્રમાણે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડએ ઇવેન્ટ સેન્ટર, વલ્લભ સદન પ્લોટ્સ, એમ્ફીથિયેટર અને ફિલ્મ શૂટિંગ માટે ઓનલાઈન બુકિંગ અને પેમેન્ટ પ્રક્રિયા શરૂ કરી હતી. ઓનલાઈન પ્રક્રિયા વધુ લોકો માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ છે અને આ પ્રક્રિયા ઘણી સરળ પુરવાર થઇ છે.

સાબરમતી રિવરફ્રન્ટ વેબસાઈટ દ્વારા ઓનલાઈન બુકિંગ સિસ્ટમ લોકોને પસંદગીનું સ્થળ અગાઉથી બુક કરવાની પરવાનગી આપે છે. બુકિંગ અને ચૂકવણી પ્રક્રિયાને સરળ બનાવે છે. આ ઓનલાઈન બુકિંગ સુવિધા પરિસરની મુલાકાત લીધા વિના જ વેબસાઈટ થકી જ સ્થળોના બુકિંગ સંબંધિત તમામ જરૂરી માહિતી પૂરી પાડે છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ૨૫મી ડિસેમ્બર, ૨૦૨૧થી ફ્લાવર પાર્ક માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિસ્તારના તમામ ઉદ્યાનો અને બગીચાઓ માટે ક્લાઉડ આધારિત ટિકિટિંગ સોફ્ટવેર વિકસાવ્યું છે અને આ રીતે ઓનલાઈન બુકિંગ તબક્કાવાર રીતે તમામ ઉદ્યાનો અને બગીચાઓ માટે વિસ્તારવામાં આવશે.

આ ઓનલાઈન ટિકિટિંગ શરૂ કરવાનો હેતુ લોકોને સરળતા અને સુવિધા આપવાનો હતો. હવે તેઓએ ટિકિટ વિન્ડોઝ પર કતારમાં રાહ જોવાની જરૂર નથી અને આ ઓનલાઇન ટિકિટિંગને લીધે પેપરનો ઉપયોગ પણ ઓછો થશે. લોકો વેબસાઇટ www.sabarmatiriverfront.com અથવા www.riverfrontparktickets.com  પરમુલાકાત લઈને સીધા જ તેમની ટિકિટ બુક કરાવી શકે છે. અથવા પાર્કની બહાર પાર્કિંગની જગ્યા પર અથવા ગાર્ડન એન્ટ્રી પોઈન્ટ પર ઉપલબ્ધ ઊઇ કોડને સ્કેન કરી શકે છે. ફ્લાવર શો દરમિયાન, ફ્લાવર પાર્ક ખાતેનું આ ઓનલાઈન ટિકિટિંગ મોડ્યુલ ભીડને અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ કરશે. ટિકિટ વિન્ડો પરના ધસારાને નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદ કરશે.

જેથી લોકો પાર્કમાં સરળતાથી પ્રવેશ મેળવી શકાય. પ્રાયોગિક ધોરણે રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક ખાતે કે ૨૪ ડિસેમ્બર,૨૦૨૧ ના રોજ ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ઓનલાઈન બુકિંગ માટેનું પાયલટ પરીક્ષણ આજે સફળતાપૂર્વક થયું હતું. જેમાં લોકોએ સકારાત્મક પ્રતિસાદ પણ આપ્યો હતો. સંપૂર્ણ રીતે ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્રક્રિયા ૨૫મી ડિસેમ્બર ૨૦૨૧થી શરૂ થશે

New up 01

Related posts

CTM ખાતે આવેલ પાથરણ બજાર વાળા દ્વારા ભીખ માગવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજી રોજીરોટી શરૂ કરવા માંગ કરવામાં આવેલ

Ahmedabad Samay

સિદ્ધપુરમાં ચાલુક્ય વંશના હિંદુ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ રુદ્ર મહાલય (શિવ મંદિર)ને ફરીથી પૂજા અર્ચના કરવા સોંપવા આવે તેમાટે કોર્ટમાં અરજી કરાઇ

Ahmedabad Samay

એપોલો હોસ્પિટલ દ્રારા જી એમ.ડી.સીં. ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેકસીનેશન શરૂ કરાશે

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પી.આઇ પર એક શખ્સે હાથ ઉપાડ્યો

Ahmedabad Samay

હાથરસ ગેંગરેપ કાંડઃ પીડિતાનું શબ પરિવારને ન સોંપ્યું, રાતોરાત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર

Ahmedabad Samay

પ્રાથમિક ના વર્ગો શરૂ થાય તેવી શકયતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો