August 6, 2026
દુનિયા

કોરોના મહામારીના અંતની જાહેરાત હવે થોડા સમયમાં થઇ શકે છે.

કોરોના મહામારીના અંતની જાહેરાત હવે થોડા સમયમાં થઇ શકે છે. વિશ્‍વ આરોગ્‍ય સંગઠન (હુ)ના આરોગ્‍ય નિષ્‍ણાંતોએ આ બાબતે ચર્ચા શરૂ કરી દીધી છે. તેમની વચ્‍ચે એ બાબત પર પણ ચર્ચા વિચારણા થઇ રહી છે કે કોરોના વાયરસ આવ્‍યાના બે વર્ષથી વધારે સમય પછી જયારે અધિકારીક રીતે ખતમ જાહેર કરાશે તો તેની આખી દુનિયા પર શું અસર થશે.
જો કે ડબલ્‍યુ એચઓએ કહ્યું કે મહામારીના  અંતની જાહેરાત તાત્‍કાલીક કરવા બાબતે હાલ તો કોઇ વિચાર નથી કરાઇ રહ્યો આખા હોંગકોંગમાં મોતનો દર વધ્‍યો છે. ચીનમાં બે વર્ષમાં પહેલીવાર આ અઠવાડીયે ૧૦૦૦ થી વધારે નવા દૈનિક કેસો નોંધાયો છે. એટલે હુ માં ચર્ચા એ વાત પર થઇ રહી છે કે કયા એવા સંકેત હશે જે મહામારીના અંતનો સંકેત આપશે. ડબલ્‍યુએચએ એ કહ્યું કે કોરોના પર આંતરરાષ્‍ટ્રીય આરોગ્‍ય વિનીયમ આયાતકાલિન સમિતિ મહામારીને ખતમ જાહેર કરવા માટે જરૂરી માપદંડો ચકાસી રહી છે.
ભારતમાં છેલ્લા ૨૪ કલક દરમ્‍યાન કોરોનાના ૩૧૧૬ નવા કેસો જાહેર થયા છે જે છેલ્લા ૬૭૬ દિવસમાં સૌથ ઓછા દૈનિક કેસ છે. કેન્‍દ્રિય આરોગ્‍ય મંત્રાલય અનુસાર સારવાર હેઠળના દર્દીઓની સંખ્‍યા ૦.૦૯ ટકા છે. સાજા થનારાઓનો દર ૯૮.૭૧ ટકાએ પહોંચ્‍યો છે.
તો બીજી તરફ, ચીનમાં કોરોના મહામારી ફરી એકવાર પોતાના પગ પસારી રહી છે. ચીનમાં રવિવારે લગભગ બે વર્ષ પછી પહેલીવાર ૩૩૦૦ થી વધારે કેસ નોંધાયા છે. કેટલાય શહેરોમાં લોકોને ઘર બહાર નિકળવાની મનાઇ કરવામાં આવી છે. શાંધાઇમાં શાળાઓ બંધ કરી દેવાઇ છે. કેટલાય શહેરોમાં લોકડાઉન લગાવી દેવાયો છે. શેનઝેન શહેરમાં લોકડાઉન પછી ૧.૭ કરોડ લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ગયો છે.
કોરોના બાબતે હોંગકોંગમાં હાલત સતત ખરાબ થઇ રહી છે. અધિકારીઓએ કોરોનાના ૨૭૬૭૪ નવા કેસોની પુષ્‍ટિ કરી છે. ૮૭ લોકોનો મોત થયા છે. અત્‍યાર સુધીમાં અહીં ૩૭૨૯ લોકોના મોત થઇ ચૂકયા છે. વિએટનામ વિશ્‍વમાં એવો બીજો દેશ છે જે કોરોનાની સુનામી સહન કરી રહ્યો છે. ત્‍યાં એક અઠવાડીયામાં ૧૪ લાખથી વધારે દર્દીઓ મળી આવ્‍યા છે.

Related posts

બાબા વેંગા : ૨૦૨૪નું વર્ષ ‘આફતોનું વર્ષ’ રહેશે. તેમણે ૨૦૨૪ માટે કરેલી આગાહીમાં પ્રમુખ પુતિનના મોતનો પ્રયાસ કરાશે

Ahmedabad Samay

અમેરિકાના વિદેશ મંત્રાલયે 75 દેશોમાંથી આવતી વિઝા અરજીઓની કામગીરી સંપૂર્ણપણે અટકાવી

Ahmedabad Samay

ભારત અને તાલિબાન વચ્ચે પ્રથમ ઔપચારિક વાતચીત મંગળવારે બેઠક યોજાઇ હતી

Ahmedabad Samay

નેધરલેન્ડથી ઐતિહાસિક અને અમૂલ્ય સાંસ્કૃતિક ખજાનો સ્વદેશ પરત લાવવામાં મોટી સફળતા મળી

Ahmedabad Samay

અમેરિકાના વોશિંગ્ટન ડી.સી. પર ફાયરિંગની ઘટના

Ahmedabad Samay

કેનેડાના PM જસ્‍ટિન ટ્રુડો સરકારે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને તેના નાગરિકોને ભારતના જમ્‍મુ અને કાશ્‍મીર રાજયમાં મુસાફરી કરવાનું ટાળવા જણાવ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો