March 23, 2026
દુનિયા

કોરોના મહામારીના અંતની જાહેરાત હવે થોડા સમયમાં થઇ શકે છે.

કોરોના મહામારીના અંતની જાહેરાત હવે થોડા સમયમાં થઇ શકે છે. વિશ્‍વ આરોગ્‍ય સંગઠન (હુ)ના આરોગ્‍ય નિષ્‍ણાંતોએ આ બાબતે ચર્ચા શરૂ કરી દીધી છે. તેમની વચ્‍ચે એ બાબત પર પણ ચર્ચા વિચારણા થઇ રહી છે કે કોરોના વાયરસ આવ્‍યાના બે વર્ષથી વધારે સમય પછી જયારે અધિકારીક રીતે ખતમ જાહેર કરાશે તો તેની આખી દુનિયા પર શું અસર થશે.
જો કે ડબલ્‍યુ એચઓએ કહ્યું કે મહામારીના  અંતની જાહેરાત તાત્‍કાલીક કરવા બાબતે હાલ તો કોઇ વિચાર નથી કરાઇ રહ્યો આખા હોંગકોંગમાં મોતનો દર વધ્‍યો છે. ચીનમાં બે વર્ષમાં પહેલીવાર આ અઠવાડીયે ૧૦૦૦ થી વધારે નવા દૈનિક કેસો નોંધાયો છે. એટલે હુ માં ચર્ચા એ વાત પર થઇ રહી છે કે કયા એવા સંકેત હશે જે મહામારીના અંતનો સંકેત આપશે. ડબલ્‍યુએચએ એ કહ્યું કે કોરોના પર આંતરરાષ્‍ટ્રીય આરોગ્‍ય વિનીયમ આયાતકાલિન સમિતિ મહામારીને ખતમ જાહેર કરવા માટે જરૂરી માપદંડો ચકાસી રહી છે.
ભારતમાં છેલ્લા ૨૪ કલક દરમ્‍યાન કોરોનાના ૩૧૧૬ નવા કેસો જાહેર થયા છે જે છેલ્લા ૬૭૬ દિવસમાં સૌથ ઓછા દૈનિક કેસ છે. કેન્‍દ્રિય આરોગ્‍ય મંત્રાલય અનુસાર સારવાર હેઠળના દર્દીઓની સંખ્‍યા ૦.૦૯ ટકા છે. સાજા થનારાઓનો દર ૯૮.૭૧ ટકાએ પહોંચ્‍યો છે.
તો બીજી તરફ, ચીનમાં કોરોના મહામારી ફરી એકવાર પોતાના પગ પસારી રહી છે. ચીનમાં રવિવારે લગભગ બે વર્ષ પછી પહેલીવાર ૩૩૦૦ થી વધારે કેસ નોંધાયા છે. કેટલાય શહેરોમાં લોકોને ઘર બહાર નિકળવાની મનાઇ કરવામાં આવી છે. શાંધાઇમાં શાળાઓ બંધ કરી દેવાઇ છે. કેટલાય શહેરોમાં લોકડાઉન લગાવી દેવાયો છે. શેનઝેન શહેરમાં લોકડાઉન પછી ૧.૭ કરોડ લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ગયો છે.
કોરોના બાબતે હોંગકોંગમાં હાલત સતત ખરાબ થઇ રહી છે. અધિકારીઓએ કોરોનાના ૨૭૬૭૪ નવા કેસોની પુષ્‍ટિ કરી છે. ૮૭ લોકોનો મોત થયા છે. અત્‍યાર સુધીમાં અહીં ૩૭૨૯ લોકોના મોત થઇ ચૂકયા છે. વિએટનામ વિશ્‍વમાં એવો બીજો દેશ છે જે કોરોનાની સુનામી સહન કરી રહ્યો છે. ત્‍યાં એક અઠવાડીયામાં ૧૪ લાખથી વધારે દર્દીઓ મળી આવ્‍યા છે.

Related posts

UAE માં કામ કરતા લાખો ભારતીયો માટે સારા સમાચાર,૨૩ જૂન થી ફ્લાઇટ શરૂ થઇ શકશે

Ahmedabad Samay

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

Ahmedabad Samay

છોકરીઓ થી હેરાન પરેશાન છે આ દેશના છોકરાઓ

Ahmedabad Samay

૮૬ વર્ષના વયે અબજોપતિ ઉદ્યોગપતિ રતન ટાટાએ આજે અંતિમ શ્વાસ લીધા, વિશ્વભરમાં શોકની લાગણી

Ahmedabad Samay

ભારતે ન્યુઝીલેન્ડને ૯૬ રને પરાજય આપીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમેં ઈતિહાસ રચ્યો

Ahmedabad Samay

૨૫મેં થી આંતરરાજ્ય ઉડાન શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો