આજ રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલું “એન્ટાર્ટિકા સિ વર્લ્ડ” ખાતે નિરાધાર વંચિત બાળકોને “ક્રૂઈઝ”ની સવારી નિશુલ્ક કરાવવામાં આવી હતી તેમજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય અતિથિ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તથા પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, પૂર્વ રાજ્યમંત્રી નિર્મલાબેન વાઘવાણી,તુષાર પરિહાર વિશ્વ હિન્દુ પરિષદ અસારવા જિલ્લા પ્રમુખ મઠમંદિર ઉપસ્થિતિ રહ્યા હતા બાળકોને ફુડ પેકેટ અને જ્યૂસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ જગ્યા પર અવારનવાર જનહિતના અને સામાજિક કાર્યો દ્વારા લોકજાગૃતિ કરવામાં આવે છે
