May 8, 2026
ગુજરાત

અકસ્માત કેસ મામલે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી, મૃતક પરીવારે કરી છે વાંધા અરજી

તથ્ય પટેલ અકસ્માત કેસ મામલે આજે તથ્ય તેમજ પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી કોર્ટમાં હાથ ધરાશે. તથ્યની રેગ્યુલર જામીનની અરજી કરવામાં આવી છે. જો કે, એ પહેલા જ મૃતકના પરીવારજનોએ વાંધા અરજી કરી છે. અત્યારે ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે તથ્ય પટેલ જેલમાં બંધ છે. ત્યારે કોર્ટમાં આ મામલે આજે જામીન અરજી પર સુનાવણી થશે.

ઈસ્કોન અકસ્માત બ્રિજ કેસ મામલે એક સાથે 9 લોકોના જીવ તથ્ય પટેલની કારની અડફેટે આવતા થયા છે. કમકમાવતી આ ઘટના વિશે આજે પણ લોકો યાદ કરે છે તો કરુણ દ્રશ્યો સામે આવી જાય છે ત્યારે તથ્ય પટેલ અને તેના પિતા અત્યારે જેલમાં બંધ છે.

આજે તથ્યની રેગ્યુલર જામીન અરજી પર તો પિતા પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી પર સુનાવણી થશે. અગાઉ 19 ઓગસ્ટના રોજ મૃતકના પરીવાજનોએ વાંધા અરજી દાખલ કરી છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ ત્યાં ઘટના સ્થળે લોકો સાથે ઝગડ્યા હતા અને લોકોને ધમકાવી પૂત્રને ત્યાંથી લઈ ગયા હતા. તેમને ત્યાં પડી રહેલા ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવાની બદલે પૂત્રને ત્યાંથી ગઈ ગયા હતા જેથી તેમને કોઈ વધુ ઘવાયેલા લોકો પ્રત્યે કોઈ માનવતા બતાવી નહોતી.

જો કે, આજે પ્રજ્ઞેશ પટેલના વચગાળાના જામીનને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અગાઉ પણ જામીન અરજી કરાઈ હતી.

Related posts

Ahmedabad Samay

ગાંધીનગર – શિક્ષણ મંત્રીએ ધોરણ 10ના પરીણામ બાદ વિદ્યાર્થીઓને આપી શુભકામનાઓ

admin

સુરત શહેરમાં રસ્તા પર હાથમાં બંદૂક અને સિગરેટ રાખીને વીડિયો બનાવતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

થલતેજના દંપતિના ઘરે ફર્નિચરનુ કામ કરનાર જ માસ્ટર માઈન્ડ નીકળ્યો

Ahmedabad Samay

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયાની પુણ્યતિથિએ ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરાયું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શનિવારે સાંજે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો