સરકારે શિક્ષણને ભાર આપતા એક શ્લોગન આપ્યું હતું કે પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા પણ હાલ દેશમાં મોંઘવારી સાતમા આસમાને ચડી ગઇ છે કે આમ આદમી ૩૦,૦૦૦ રૂપિયાનો પગાર ધારકને ઘર ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે. સરકારે તો રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુમાં જ એટલી મોંઘવારી લાવી દીધી છે કે મધ્યમ વર્ગના લોકો તો પોતાના બાળકને પૌષ્ટિક આહાર ખવડાવી પણ નથી શકતા.
હાલમાજ સરકાર દ્વારા ડેરી પ્રોડક ઉપર GST લાગુ કરી દીધું છે અને જી.એસ.ટી લાગુ કર્યા બાદ અમુલ દૂધના લિટરે બે રૂપિયાનો ભાવ વધારો ઝીંકી નાખ્યો છે. તેલના ભાવમાં વધારો, શાકભાજીના ભાવમાં વધારો થઇ ગયો છે.
ખાદ્યપદાર્થોમાં જ એટલો ભાવ વધારો થઇ ગયો કે વાલીઓ બાળકોને કઇ પૌષ્ટિકઆહાર ખવડાવી શકતા જ નથી તો જો વિદ્યાર્થીઓ પૌષ્ટિક ખોરાક જ ખાશે નહિ તો ભણવામાં રમવામાં કેવીરીતે આગળ વધશે ?
(બ્યુરો રિપોર્ટ)
