August 8, 2026
ગુજરાત

AMCમાં 5 વર્ષમાં 22 મહિલાઓએ સત્તાવાર પોતાની મરજીથી સિંગલ મધર બની કરાવી નોંધણી

મદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટામાં 22 મહિલાઓએ સિંગલ મધર બનીને નોંઘણી કરાવી છે. અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં સિંગલ મધરની સંખ્યામાં વધારો થયો છે. બાળકોના જન્મ પ્રમાણપત્રમાં પિતાના નામની કોલમ ખાલી રહે છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા પાંચ વર્ષમાં 22 મહિલાઓએ સત્તાવાર રીતે પોતાની મરજીથી સિંગલ મધર બનવાનું નક્કી કર્યું છે. તેને મહિલા સશક્તિકરણના પ્રતીક તરીકે જોવામાં આવે છે. મહિલા પિતાનું નામ આપ્યા વગર પણ જન્મ પ્રમાણપત્ર મેળવી શકે છે.

AMCના પાંચ વર્ષના રેકોર્ડમાં, બાળકોના જન્મ પ્રમાણપત્રોમાં માત્ર મહિલાઓના નામની યાદી હોય છે, જેનાથી પિતાની કોલમ ખાલી રહે છે. જો તમે આંકડાઓ પર નજર નાખો તો 2019 અને 2022માં છ મહિલાઓએ જન્મ પ્રમાણપત્રમાં સિંગલ મધર તરીકે પોતાની નોંધણી કરાવી હતી અને પિતૃત્વ સંબંધિત કોલમ ખાલી છોડી દીધી હતી.

વર્ષ પ્રમાણે સિંલગ મધરના આંકડાઓ 

2018 5
2019 6
2020 1
2021 4
2022 6

આ રીતે કોર્પોરેશનમાં હોય છે પ્રોશેસ 
બાળકના જન્મની પ્રથમ વિગતો હોસ્પિટલમાં નોંધવામાં આવે છે. આ પછી આ ડેટા રજિસ્ટ્રાર ઓફિસને મોકલવામાં આવે છે. જ્યાં જન્મ અને મૃત્યુનો રેકોર્ડ રાખવામાં આવે છે. તેમાં બાળકનું લિંગ, જન્મ તારીખ, જન્મ નોંધણી નંબર, માતા અને પિતાનું નામ, જન્મ સ્થળ, માતાનું કામચલાઉ સરનામું અને કાયમી સરનામું ભરવાનું રહેશે. જો કોઈ કિસ્સામાં સગીર ગર્ભવતી હોય, તો તેનું નામ રેકોર્ડમાં દાખલ કરવામાં આવતું નથી. અમદાવાદમાં તાજેતરના વર્ષોમાં આવા આઠ કેસ નોંધાયા છે, જ્યારે 22 કેસમાં મહિલાઓએ પોતે આ નક્કી કર્યું છે.

શાળામાં પિતાના નામ મામલે પણ છે આ અંગેનો ઠરાવ
મહિલા પિતાનું નામ આપ્યા વગર પણ જન્મ પ્રમાણપત્ર મેળવી શકે છે. હકીકતમાં, રાજ્ય સરકારે 2005માં આ અંગે ઠરાવ બહાર પાડ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે શાળામાં પિતાનું નામ રેકોર્ડમાં આપવા દબાણ કરી શકે નહીં.

Related posts

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌને ચોંકાવી દે એવી આગાહી કરી,આગામી 03 થી 13 એપ્રિલ સુધી રાજ્યના ઘણાં ભાગમાં વાવાઝોડું ફૂંકાઈ શકે

Ahmedabad Samay

માતા ગાયને રાષ્ટ્ર માતાનું પદ આપવાની માંગ સાથે, ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા રથયાત્રા યોજાઈ

Ahmedabad Samay

અન્ય રાજ્ય માંથી આવતા લોકોનો છેલ્લા ૭૨ કલાકમાં RTPCR ટેસ્ટ નેગેટિવ હોય તેઓને જ પ્રવેશ અપાશે

Ahmedabad Samay

કાલે ગુજરાત રાબેતા મુજબ જ ચાલશે, ગુજરાતમાં ભારત બંધની અસર નહિ દેખાય: વિજય રૂપાણી

Ahmedabad Samay

આ વખતે ભાજપને ૩૭૦ થી વધુ સીટો મળશે, મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે : જગદગુરુ રામભદ્રાચાર્ય

Ahmedabad Samay

સલામત સવારી AMTSની અડફેટ આવતા છ વર્ષમાં 52ના મોત થયા, 1500થી વધુ અકસ્માત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો