August 9, 2026
ગુજરાત

વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રેમ જાગૃત કરવા નાલંદા ગૃપનુ અભિયાન

પોરબંદર જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં નાનપણથી જ સંસ્કૃતિ-દેશ માટે બલિદાન આપનાર જવાનો વિશે જાણે અને રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય તે માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. નાલંદા સંસ્કૃતિ ગૃપ દ્વારા નવયુગ વિદ્યાલયના આચાર્ય તુષારભાઈ પુરોહિતના આમંત્રણને માન આપી મુલાકાત લીધીલી. અંદાજે ૩૦૦(ત્રણસો) કરતા પણ વધારે વિદ્યાર્થીઓ ની સંખ્યા હોય. નાલંદા સંસ્કૃતિ ગૃપના સાહિત્યકાર ને સામાજીક કાર્યકર મંજુલાબેન બાપોદરા દ્વારા બાળકો ને ઉદબોધન કરેલું ને આ ઉંમર જ એવી છે કે જ્યાંથી જીંદગીમાં  આગળ વધવા માટેની દિશા નક્કી થાય છે અને નવી કેડી કંડારી શકાય છે. જ્યાં સ્વાભિમાન છે ત્યાંજ સન્માન છે. રાષ્ટ્રનું નીર્માણ ને રાષ્ટ્ર ભક્તિ માટે સમર્પીત થવાની પણ ઉમ્ર આજ હોય છે. આ તકે નાલંદા સંસ્કૃતિ ગૃપ તરફથી મંજુલાબેન બાપોદરા, આરતીબેન મદલાણી, સરલાબહેન લાખાણી હાજર રહ્યા હતા ને નવયુગ વિદ્યાલય તરફથી ફરી અવીજ વાતો બાળકોના જીવનમાં ઉપયોગી થાય એસાથે ફરી આવવ આમંત્રણ પણ આપેલું. એ સાથે  આજે ગૃપ દ્વારા સખી વન સ્ટોપ ની પણ મુલાકાત લીધેલી. જે  સેવાકીય પ્રવૃતિઓ માટે ચાલતી સંસ્થા છે. ત્યાં કિરણબેન ને ઉર્મિલાબેન સાથે પણ સામાજીક સમસ્યાઓ પર ઉંડાણ પૂર્વક ની ચર્ચા થયેલી.

Related posts

વધુ એક બોગસ ડોકટર ઝડપાયો,રેથલ ગામે ડીગ્રી વગરનો ડોકટર ઝડપાયો

Ahmedabad Samay

અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં ભૂકંપના આચકા

Ahmedabad Samay

ઍકાદ હજારથી વધુ ઍકસ આર્મીમેનોઍ ઍરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રીજના રસ્તાઓ ચક્કાજામ કર્યા

Ahmedabad Samay

અમદાવાદ-બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસમાં આજે સુનાવણી

Ahmedabad Samay

વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા અરવિંદ મિલ્સ ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

Ahmedabad Samay

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો