June 24, 2026
ગુજરાત

વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રેમ જાગૃત કરવા નાલંદા ગૃપનુ અભિયાન

પોરબંદર જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં નાનપણથી જ સંસ્કૃતિ-દેશ માટે બલિદાન આપનાર જવાનો વિશે જાણે અને રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય તે માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. નાલંદા સંસ્કૃતિ ગૃપ દ્વારા નવયુગ વિદ્યાલયના આચાર્ય તુષારભાઈ પુરોહિતના આમંત્રણને માન આપી મુલાકાત લીધીલી. અંદાજે ૩૦૦(ત્રણસો) કરતા પણ વધારે વિદ્યાર્થીઓ ની સંખ્યા હોય. નાલંદા સંસ્કૃતિ ગૃપના સાહિત્યકાર ને સામાજીક કાર્યકર મંજુલાબેન બાપોદરા દ્વારા બાળકો ને ઉદબોધન કરેલું ને આ ઉંમર જ એવી છે કે જ્યાંથી જીંદગીમાં  આગળ વધવા માટેની દિશા નક્કી થાય છે અને નવી કેડી કંડારી શકાય છે. જ્યાં સ્વાભિમાન છે ત્યાંજ સન્માન છે. રાષ્ટ્રનું નીર્માણ ને રાષ્ટ્ર ભક્તિ માટે સમર્પીત થવાની પણ ઉમ્ર આજ હોય છે. આ તકે નાલંદા સંસ્કૃતિ ગૃપ તરફથી મંજુલાબેન બાપોદરા, આરતીબેન મદલાણી, સરલાબહેન લાખાણી હાજર રહ્યા હતા ને નવયુગ વિદ્યાલય તરફથી ફરી અવીજ વાતો બાળકોના જીવનમાં ઉપયોગી થાય એસાથે ફરી આવવ આમંત્રણ પણ આપેલું. એ સાથે  આજે ગૃપ દ્વારા સખી વન સ્ટોપ ની પણ મુલાકાત લીધેલી. જે  સેવાકીય પ્રવૃતિઓ માટે ચાલતી સંસ્થા છે. ત્યાં કિરણબેન ને ઉર્મિલાબેન સાથે પણ સામાજીક સમસ્યાઓ પર ઉંડાણ પૂર્વક ની ચર્ચા થયેલી.

Related posts

આ વર્ષે કાંકરિયા કાર્નિવલ નહિ યોજાય: બિજલ પટેલ

Ahmedabad Samay

CM રૂપાણીએ આપ્યું રાજીનામુ, નવા CM કોણ ? બન્યો ચર્ચાનો વિષય

Ahmedabad Samay

વેપારીઓને મોટી રાહત,આજ થી સાંજે ૦૬ વાગ્યા સુધી ખુલ્લી રખાશે દુકાનો

Ahmedabad Samay

સુરત બાદ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ભરશે લોક દરબાર, તડામાર તૈયારીઓ

Ahmedabad Samay

2005 પછી ના સફાઈ કર્મચારીઓની “જુની પેન્શન યોજના શરૂ કરવા નરોડાના ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાની ને આવેદન પત્ર અપાયું

Ahmedabad Samay

ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, બે કેસ સુરત અને વડોદરામાં નોંધાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો