May 9, 2026
ગુજરાત

વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રેમ જાગૃત કરવા નાલંદા ગૃપનુ અભિયાન

પોરબંદર જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં નાનપણથી જ સંસ્કૃતિ-દેશ માટે બલિદાન આપનાર જવાનો વિશે જાણે અને રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય તે માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. નાલંદા સંસ્કૃતિ ગૃપ દ્વારા નવયુગ વિદ્યાલયના આચાર્ય તુષારભાઈ પુરોહિતના આમંત્રણને માન આપી મુલાકાત લીધીલી. અંદાજે ૩૦૦(ત્રણસો) કરતા પણ વધારે વિદ્યાર્થીઓ ની સંખ્યા હોય. નાલંદા સંસ્કૃતિ ગૃપના સાહિત્યકાર ને સામાજીક કાર્યકર મંજુલાબેન બાપોદરા દ્વારા બાળકો ને ઉદબોધન કરેલું ને આ ઉંમર જ એવી છે કે જ્યાંથી જીંદગીમાં  આગળ વધવા માટેની દિશા નક્કી થાય છે અને નવી કેડી કંડારી શકાય છે. જ્યાં સ્વાભિમાન છે ત્યાંજ સન્માન છે. રાષ્ટ્રનું નીર્માણ ને રાષ્ટ્ર ભક્તિ માટે સમર્પીત થવાની પણ ઉમ્ર આજ હોય છે. આ તકે નાલંદા સંસ્કૃતિ ગૃપ તરફથી મંજુલાબેન બાપોદરા, આરતીબેન મદલાણી, સરલાબહેન લાખાણી હાજર રહ્યા હતા ને નવયુગ વિદ્યાલય તરફથી ફરી અવીજ વાતો બાળકોના જીવનમાં ઉપયોગી થાય એસાથે ફરી આવવ આમંત્રણ પણ આપેલું. એ સાથે  આજે ગૃપ દ્વારા સખી વન સ્ટોપ ની પણ મુલાકાત લીધેલી. જે  સેવાકીય પ્રવૃતિઓ માટે ચાલતી સંસ્થા છે. ત્યાં કિરણબેન ને ઉર્મિલાબેન સાથે પણ સામાજીક સમસ્યાઓ પર ઉંડાણ પૂર્વક ની ચર્ચા થયેલી.

Related posts

માં ભારતીના પરમ સપૂત “શ્રી મહારાણા પ્રતાપ જીની” આગામી 485મી જન્મ જયંતિ ના શુભઅવસરની ઉજવણી અર્થે સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ

Ahmedabad Samay

અનાજના વહેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ, ગ્રાહકો પાસે થી બજાર ભાવ કરતા વધારે પૈસા વસુલવામાં આવી રહ્યાની ફરિયાદ

Ahmedabad Samay

હોસ્‍પિટલમાં દાખલ કર્યા બાદ દર્દીના ડેથ સર્ટિફિકેટ આપવા કર્મચારી ટલાવી રહ્યા છે

Ahmedabad Samay

કુબેરનગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણમાં કોંગ્રેસના કોર્પોરેટરને આમંત્રણ ન આપતા હોબાળો

Ahmedabad Samay

રાજ્યના ૦૭ IPSને બઢતી અપાઈ

Ahmedabad Samay

ક્યારે વિચાર આવ્યું છે પ્રોફશનલ કેમેરા સાથે મોબાઇલ ના કેમેરા ની સાથે સરખાવવા માં આવે તો ફોટો ક્યાં કેમેરા માંથી વધુ સારા આવે ? આવો જાણીએ ટેકનો. એક્સપર્ટ પાસે. સંજય બકુત્રા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો