August 12, 2026
ગુજરાત

ગાંધીનગર – ઈ-વિધાનસભા માટે કમિટી બનાવવામાં આવી, 15 સભ્યોનો સમાવેશ

ગાંધીનગરમાં ઈ વિધાનસભા માટે એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહીત 15 જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ટેબ્લેટના માધ્યમથી ધારાસભ્યો પ્રશ્નો પૂછી શકે અને પત્ર વ્યવહાર ઓનલાઈન થઈ શકશે.

  • કિમટીમાં 15 જેટલા સભ્યોનો સમાવેશ
  •  ધારાસભ્યો ટેબ્લેટ દ્વરા પ્રશ્ન પણ પૂછી શકશે
  •  ફાઈલ પર ઓનલાઈન ટેબ્લેટથી રજૂ કરી શકાશે
  •  ટેબ્લેટના માધ્યમથી ધારાસભ્યો પ્રશ્નો પૂછી  શકશે પ્રશ્નો

ડિજિટલાઈઝેશનના યુગમાં ખાસ કરીને ડિજિટલ ક્ષેત્રે મોટી ક્રાતી આવી છે અને કામો ઘણા ઝડપી બની રહ્યા છે. ત્યારે ઈ વિધાનસભા માટે પણ આ ક્ષેત્રે કામગિરી કરવામાં આવી રહી છે. જેમાં માટે બનાવાયેલી કમિટી આગામી સમયમાં કાર્યો કરશે.

આગામી 2 મહિનામાં જ ઈ વિધાનસભાનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક
જેમાં ખાસ કરીને ધારાસભ્યોને મહત્વપૂર્ણ ફાઈલ પર ઓનલાઈન ટેબ્લેટથી રજૂ કરી શકાશે. આગામી 2 મહિનામાં જ ઈ વિધાનસભાનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. જેમાં ટેબ્લેટના માધ્યમથી તમામ પ્રકારની કામગિરી કરી શકાશે.ધારાસભ્યોને ટેબ્લેટ થકી કામગિરીની તાલીમ આપવામાં આવશે. જેમાં ધારાસભ્યો ટેબ્લેટ દ્વરા પ્રશ્ન પણ પૂછી શકશે. પત્ર વ્યવહાર પણ ઓનલાઈ કરી શકશે. આ માટે સાયન્સ અને ટેકનોલોજીના વિભાગ સાથે ચર્ચા પણ કરવામાં આવી છે.

Related posts

બંગાળમાં ઇલેક્શન બાદ ફાટી નીકળેલ હિસ્સા પર અખિલ વિશ્વ હિન્દુ એકતા મચે કરી લાલઆંખ,રાષ્ટ્રપતિ શાસન ની કરી માંગ

Ahmedabad Samay

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીકરાના લગ્નને લઈ ચાલતી અફવાઓ ની સી.એમ એ આપી સ્પષ્ટતા

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યાજમાફી સ્કિમ હેઠળ 236 કરોડ ટેક્સની આવક

Ahmedabad Samay

રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય ,ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

અમદાવાદમાં ધોધમાર વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા,સાત અંદરબ્રિજ બંધ કરાયા, જાણો ક્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યો

Ahmedabad Samay

મેઘાણીનગરના ઊમેશ્વર મહાદેવ મંદિર દ્વારા શિવજીની પાલકી કઢાઈ હતી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો