June 27, 2026
ગુજરાત

વડોદરા – વૃદ્ધાના મોત બાદ પશુ માલિકની થઈ ધરપકડ, ગંભીર ઘટનાથી સ્થાનિકોમાં પણ આક્રોશ

રખડતા ઢોરના કારણે વડોદરામાં વૃદ્ધાનું મોત બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. પરીવારજનો દ્વારા પશુ માલિક સામે ફરીયાદ કરવામાં આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિકોમાં પણ રખડતા ઢોરના કારણે લોકોના જીવ જતા આક્રોસ જોવા મળી રહ્યો છે. રખડતા પશુઓના કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. સતત રોડ પર રખડતા ઢોર સતત જોવા મળી રહ્યા છે. ત્યારે વૃદ્ધાના મોત બાદ સ્થાનિકચ ધારાસભ્ય અને પૂર્વ મેયર કેયૂર રોકડીયા દ્વારા કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.

વડોદરા કોર્પોરેશન સામે પણ રખડતા ઢોર સતત જોવા મળતા લોકોમાં આક્રોસ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે આ મામલે કોર્પોરેશનના ઢોર અંકુશ વિભાગ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા.ટ ગાયના માલિક કરણ રબારીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાપ્ત વિગતો અનુસાર ઢોર માલિકના ઘરના તમામ વોટર કનેક્શન તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવી શકે છે.

રખડતા ઢોરને લઈને અમદાવાદ, સુરત, વડોદરા તેમજ સૌરાષ્ટ્ર સહીતના મહાનગરપાલિકા વિસ્તારમાં આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં પણ રખડતા ઢોરના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. અમદાવાદમાં વૃદ્ધાનું મોત ઢોરની અડફેટે આવતા તાજેતરમાં જ થયું છે. ત્યારે અમદાવાદમાં પણ ઢોર માલિક સામે ગુનો દાખલ કરાયો છે.

Related posts

અમિતભાઇ શાહે અમદાવાદમાં ૨૧ જેટલા તળાવોને વધુ આકર્ષિત કરવા તાકીદ કર્યું

Ahmedabad Samay

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહ માટે દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

મરાઠી સમાજના પંદિરકર મહારાજે સોસિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ફક્ત પરિવારના સભ્યો સાથે ઉજવાઈ જન્માષ્ટમી

Ahmedabad Samay

ખેડૂતો તો ઠીક, મિનિસ્ટર્સ પણ શું ખાશો? A.C. ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ એકવાર મુલાકાત લો… મોડાસાના વણિયાદમાં મુસીબતનું માવઠું

Ahmedabad Samay

મરાઠી સમાજના શ્રી તુળજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

અમદાવાદમાં ૨૩ મહિનામાં ૨૩૦૦ લોકોના ડ્રાઇવિંગ લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ થયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો