May 12, 2026
અપરાધ

મહિલા વ્યાજખોરનો આતંક : કુણોલ (નવાઘરા)ના પશુપાલકે 2.50 લાખ ના દસ ટકા લેખે 4.50 લાખ પરત આપ્યા છતાં 7 લાખનો ખોટો કેસ કર્યો

અરવલ્લી જીલ્લામાં વ્યાજખોરીના દુષણને ડામવા માટે જીલ્લા પોલીસતંત્રએ લોક દરબાર યોજી વ્યાજંકવાદનો ભોગ બનેલા લોકોને ઉંચા દરે નાણાં ધીરી ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતા શખ્સો સામે ફરિયાદ નોંધાવવા આહવાન કરી વ્યાજંકવાદીઓ સામે ઝુંબેશ ચલાવી હતી તેમ છતાં વ્યાજખોરો બેફામ બન્યા છે

મોડાસા શહેરની ઋષિકેશ સોસાયટીમાં રહેતી વ્યાજખોર મહિલાએ કુણોલ (નવાઘરા)ના અને સાસરીમાં રહી ખેતી કરતા પશુપાલકને 2.50 લાખ રૂપિયા દસ ટકે આપી 4.50 લાખ ટુકડે ટુકડે ખંખેરી લીધા પછી વધુ 7 લાખની માંગણી કરી ચેક રીટર્નનો કેસ કરતા આખરે પશુપાલકે મહિલા વ્યાજંકવાદી સામે ઇસરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

મોડાસા શહેરની ઋષિકેશ સોસાયટીમાં રહેતી હર્ષદકુમારી પુજયરાજસિંહ પરમાર નામની મહિલા મેઘરજના કસાણા પંથકમાં લોકોને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાં આપતી હોવાથી કસાણા લીમડા પાદરમાં રહેતા દિલીપભાઈ લક્ષ્મણભાઈ કટારા 5 વર્ષ અગાઉ હર્ષદકુમારીના સંપર્કમાં આવ્યા હતા તેની પાસેથી સૌપ્રથમ 20 હજાર રૂપિયા દસ ટકા વ્યાજે લઇ ચૂકવી દીધા હતા ત્યારબાદ પશુઓ ખરીદી માટે અઢી વર્ષના સમયગાળા દરમિયાન 2.50 લાખ દસ ટકે લીધા હતા પશુપાલક દૂધ ભરાવી પૈસા ચૂકવતો હતો તેમજ કેસીસી લોન લઇ 1.50 લાખ રોકડા આપ્યા હતા અઢી વર્ષ દરમિયાન 4.50 લાખ પરત ચૂકવી દીધા હોવા છતાં ગેરંટી તરીકે આપેલ ચેકમાં 7 લાખ રકમ ભરી ચેક રીટર્ન કેસ કરતા પશુપાલક અને તેનો પરિવાર ફફડી ઉઠ્યો હતો અને આખરે વ્યાજના વિષચક્રમાં ફસાયેલ પશુપાલકે ઈસરી પોલીસનો સહારો લીધો હતો
ઇસરી પોલીસે કુણોલ (નવાઘરા) ગામના દિલીપભાઈ લક્ષ્મણભાઈ કટારાની ફરિયાદના આધારે હર્ષદકુમારી પુજયરાજસિંહ પરમાર (રહે,ઘર.નં -9 ઋષિકેશ સોસાયટી,માલપુર રોડ,મોડાસા) વિરુદ્ધ કલમ-154 હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Related posts

દિલ્હી સ્‍પેશિયલ સેલે ISI દ્વારા સંચાલિત શહઝાદ ભટ્ટી મોડ્‍યુલના ૯ સક્રિય સભ્‍યોની ધરપકડ કરીને,

Ahmedabad Samay

બાપુનગરમાં હોમગાર્ડ જવાનો માટે યોજાયેલા બેલેટ પેપર મતદાનમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ

Ahmedabad Samay

સરખેજ વિસ્તારમાં પૈસાની લેતીદેતીમાં ૩ રાઉન્ડ ફાયરીંગની ઘટના બની,CCTVમાં ઘટના થઇ કેદ

Ahmedabad Samay

ઇન્દોરમાં હિન્દુ સંગઠનના લોકો પર પથ્થરમારોની ઘટના

Ahmedabad Samay

મુંબઇમાં એક એવી સોસાયટી બની રહી છે જે ફક્ત મુસ્લિમો માટે હશે,જાહેરાત ચર્ચામાં આવતા સરકાર ને કડક કાર્યવાહી કરવા અને તપાસના કરવા પત્ર લખવામાં આવ્યું

Ahmedabad Samay

સાબરમતીમાં બુટલેગરો મસ્ત અને આમ જનતા ત્રસ્ત, વર્ષ વિતિગ્યું, આત્મહત્યા પણ કરી છતાં ન્યાયન મળ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો