March 24, 2026
અપરાધ

મહિલા વ્યાજખોરનો આતંક : કુણોલ (નવાઘરા)ના પશુપાલકે 2.50 લાખ ના દસ ટકા લેખે 4.50 લાખ પરત આપ્યા છતાં 7 લાખનો ખોટો કેસ કર્યો

અરવલ્લી જીલ્લામાં વ્યાજખોરીના દુષણને ડામવા માટે જીલ્લા પોલીસતંત્રએ લોક દરબાર યોજી વ્યાજંકવાદનો ભોગ બનેલા લોકોને ઉંચા દરે નાણાં ધીરી ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતા શખ્સો સામે ફરિયાદ નોંધાવવા આહવાન કરી વ્યાજંકવાદીઓ સામે ઝુંબેશ ચલાવી હતી તેમ છતાં વ્યાજખોરો બેફામ બન્યા છે

મોડાસા શહેરની ઋષિકેશ સોસાયટીમાં રહેતી વ્યાજખોર મહિલાએ કુણોલ (નવાઘરા)ના અને સાસરીમાં રહી ખેતી કરતા પશુપાલકને 2.50 લાખ રૂપિયા દસ ટકે આપી 4.50 લાખ ટુકડે ટુકડે ખંખેરી લીધા પછી વધુ 7 લાખની માંગણી કરી ચેક રીટર્નનો કેસ કરતા આખરે પશુપાલકે મહિલા વ્યાજંકવાદી સામે ઇસરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

મોડાસા શહેરની ઋષિકેશ સોસાયટીમાં રહેતી હર્ષદકુમારી પુજયરાજસિંહ પરમાર નામની મહિલા મેઘરજના કસાણા પંથકમાં લોકોને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાં આપતી હોવાથી કસાણા લીમડા પાદરમાં રહેતા દિલીપભાઈ લક્ષ્મણભાઈ કટારા 5 વર્ષ અગાઉ હર્ષદકુમારીના સંપર્કમાં આવ્યા હતા તેની પાસેથી સૌપ્રથમ 20 હજાર રૂપિયા દસ ટકા વ્યાજે લઇ ચૂકવી દીધા હતા ત્યારબાદ પશુઓ ખરીદી માટે અઢી વર્ષના સમયગાળા દરમિયાન 2.50 લાખ દસ ટકે લીધા હતા પશુપાલક દૂધ ભરાવી પૈસા ચૂકવતો હતો તેમજ કેસીસી લોન લઇ 1.50 લાખ રોકડા આપ્યા હતા અઢી વર્ષ દરમિયાન 4.50 લાખ પરત ચૂકવી દીધા હોવા છતાં ગેરંટી તરીકે આપેલ ચેકમાં 7 લાખ રકમ ભરી ચેક રીટર્ન કેસ કરતા પશુપાલક અને તેનો પરિવાર ફફડી ઉઠ્યો હતો અને આખરે વ્યાજના વિષચક્રમાં ફસાયેલ પશુપાલકે ઈસરી પોલીસનો સહારો લીધો હતો
ઇસરી પોલીસે કુણોલ (નવાઘરા) ગામના દિલીપભાઈ લક્ષ્મણભાઈ કટારાની ફરિયાદના આધારે હર્ષદકુમારી પુજયરાજસિંહ પરમાર (રહે,ઘર.નં -9 ઋષિકેશ સોસાયટી,માલપુર રોડ,મોડાસા) વિરુદ્ધ કલમ-154 હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Related posts

સફરજન બોક્ષની આડમાં વિદેશી દારૂ લઇ જતા ઝડપાયું, રૂ.૩૦.૩૦ લાખનો મુદ્દા માલ જપ્ત

Ahmedabad Samay

૦૩ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનારની નરોડા પોલીસે ગણતરીના કલાકોમા જ આરોપીની ધરપકડ કરી હતી.

Ahmedabad Samay

બ્લાસ્ટની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

Ahmedabad Samay

બહુ ચર્ચિત આઇશા આત્મહત્યા કેસમાં પતિ આરીફની ધરપકડ કરાઇ, કાલે અમદાવાદ લવાશે

Ahmedabad Samay

સ્વીગીનું ફરી એક વાર ખરાબ સર્વિસ માટે ચર્ચામાં કસ્ટમર ની ” ખાય પિયા કુછ નઈ ગ્લાસ તોડા બારણા ” જેવી હાલત

Ahmedabad Samay

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો