March 25, 2026
ગુજરાત

અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો, 1200 બેડની હોસ્પિટલમાં 18 બેડનો વોર્ડ કાર્યરત

અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યા છે. બે દિવસ પહેલા 49 કેસ નોંધાયા હતા ત્યારે 24 કલાકમાં નવા 62 કેસો નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા 119 કેસમાં અમદાવાદમાં કોરોનાનો આંક વધવા પામ્યો છે. કોરોનાની ધીમી ગતિની રફ્તાર આગળ વધતા 1200 બેડ હોસ્પિટલમાં 18 બેડ સાથેનો વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. ઈમરજન્સીમાં વિવિધચ મેડિકલ સુવિધા સાથેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં જેટલા કેસો આવી રહ્યા છે, તેની સરખામણીમાં 50 ટકા જેટલા કેસો ફક્ત અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. 119 કોરોના પોઝિટવ કેસ નોંધાતા ચિંતા પણ વધી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલની 1200 બેડની હોસ્પિટલને અત્યારથી જ સજ્જ કરાઈ છે. જો કે, તેમાં કેટલાક બેડ કાર્યરત કરાયા છે.

1200 બેડ હોસ્પિટલમાં 18 બેડ સાથેનો વોર્ડ કાર્યરત કરાયો છે. કોરોના વોર્ડમાં ઓક્સિજન સહિતની તમામ સુવિધા રખાઈ  છે. હોસ્પિટલમાં હાલ એક પોઝિટિવ અને એક શંકાસ્પદ દર્દી દાખલ છે. 1200 બેડમાં જરુર પ્રમાણે વધુ બેડ વધારવાની તૈયારી પણ છે.

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે છે. 15 માર્ચે રાજ્યમાં કોરોનાના 90 કેસ નોંધાયા હતા. ત્યારે આ સંખ્યામાં 100થી વધુ સામે આવી રહી છે. કોવિડ અને H3N2ના વધતા જતા કેસોને જોતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 300ને વટાવી ગયો છે.  અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ H3N2 વાયરસનો ચેપ પણ સામે આવ્યો છે.

Related posts

કોનવેલ્થ ગેમ્સની યજમાની મળતા અમદાવાદમાં બનશે 12 જેટલા નવા બ્રિજ,1 વર્ષમાં 8 બ્રિજ થઇ જશે તૈયાર

Ahmedabad Samay

એક મહિના માટે પૂજય પ્રમુખ સ્‍વામી મહારાજના શતાબ્‍દી મહોત્‍સવનો સાંજથી પ્રારંભ, વડાપ્રધાને આપી હાજરી

Ahmedabad Samay

આસ્થા ફાઉન્ડેશન દ્વારા નિરાધાર વૃદ્ધઓ માટે અખબારનગર ખાતે વૃદ્ધાઆશ્રમ ની સ્થાપના કરવામા આવી

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું જન કલ્યાણ કામ, મોટી સંખ્યામાં વિધવા બહેનોને સાડી વિત્રણ

Ahmedabad Samay

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યની જામીન સામે પોલીસનું સોગંદનામું

Ahmedabad Samay

અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ પણ સોસાયટીઓમાં પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો