પ્રાંતિજ ના ઝીઝવા ગામની દિકરી શિલ્પાબેન ના લગ્ન પ્રાંતિજ ના વદરાડ ખાતે રહેતા ભરતસિંહ પ્રહલાદસિંહ ઠાકોર જોડે થયા છે અને તેના પતિ ભરતસિંહ દ્રારા તેમની પત્ની ને ધરકામની નાની નાની બાબતે બોલાચાલી ઝધડા કરી ગમેતેમ ગાળો બોલી મારઝૂડ કરી તથા તેના સાસુ રતનબેન પ્રહલાદસિંહ ઠાકોર તથા સસરા પ્રહલાદસિંહ સરદાર સિંહ ઠોકર દ્રારા શિલ્પાબેન વિરૂધ્ધ તેના પતિ ભરતસિંહ ને ખોટી ચઢામણીઓ કરી ઝધડા કરાવી તથા તેની પત્ની શિલ્પાબેન ને તેના માતા-પિતા કે પતિ ભરતસિંહ કોઇપણ વિરૂધ્ધ ફરિયાદ કરીશેતો શિલ્પાબેન ને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પતિ ભરતસિંહ પ્રહલાદસિંહ ઠાકોર દ્રારા કરિયાવર પેટે- રૂપિયા ૫૦,૦૦૦ ની દહેજ પેટે માંગણી કરી પત્ની ને છોકરા સાચવતા આવડતુ નથી તેમ કહી ઝધડો કરી પત્ની ને શારીરિક માનસિક ત્રાસ આપી એકબીજાની મદદત કરતા શિલ્પાબેન દ્રારા હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશન મા પતિ ભરતસિંહ પ્રહલાદસિંહ ઠાકોર , સાસુ રતનબેન પ્રહલાદસિંહ ઠાકોર , સસરા પ્રહલાદસિંહ સરદારસિંહ ઠાકોર ત્રણેય રહે વદરાડ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરતા પોલીસ દ્રારા આઇપીસીકલમ ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૫૦૬,(૨) ૧૧૪ દ.ધા.ક.-૪ મુજબ ગુનોનોંધી આગળની તપાસ હાથધરી હતી
