May 8, 2026
Other

તળાજા તાલુકાના ટીમાણા ગામે બે પરિવાર વચ્ચે લોહિયાળ મારામારી થતા બાર જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા

તળાજા તાલુકાના ટીમાણા ગામે બે પરિવાર વચ્ચે લોહિયાળ મારામારી થતા બાર જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે આજે રાત્રિના સમયે મકવાણા પરિવારના સભ્ય વચ્ચે સશસ્ત્ર અને છૂટા હાથની મારામારી થઈ હતી. મારામારીમાં મહિલા અને પુરુષ મળી કુલ કરતા હતા. ૧૨ વ્યક્તિને નાની મોટી ઈજાઓ થતા ૧૦૮ અને ખાનગી વાહનો દ્વારા તમામને તળાજા ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાદ પાંચ વ્યક્તિને ભાવનગર વધુ સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.
તળાજા હોસ્પિટલ ખાતેથી બનાવ અંગે ઇજાગ્રસ્તો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવના કારણોમાં એક દીકરીની છેલ્લા કેટલાક સમયથી છેડતી કરતા હોવાના કારણે ઠપકો દેતા મામલો બિચકયો હતો. દીકરીના પરિવારજનોએ જણાવ્યું હતું કે દીકરીના લગ્ન લેશો તો પણ અમે ગામમાં જાન નહીં આવવા દઈએ ત્યાં સુધીની દાદાગીરી
જ્યારે સામે પક્ષના એ જણાવ્યું હતું કે અમોને સમાધાન માટે બોલાવ્યા હતા. અને સામા પક્ષે હુમલો કર્યો હતો. જોકે પક્ષે પણ સ્વીકાર્યું હતું કે યુવક અને યુવતીના સંબંધોને લઈને આ મારામારીની ઘટના બની હતી. જે મારા મારીમાં બન્ને પક્ષના
હરિભાઈ બાલાભાઈ મકવાણા
(ઉ.વ.મકવાણા (ઉ.વ.૨૯), મનશુખભાઈ કાળુભાઇ મકવામા (ઉ.વ. ૩૪), રિમુબેન જીતુભાઇ મકવાણા (ઉ.વ.૬૦), ભરતભાઈ ગોબરભાઈ મકવાણા (ઉ.વ.૫૦), ભારતીબેન પ્રવીણભાઈ મકવાણા
(ઉ.વ.૩૨), પ્રવીણભાઈ ભુપતભાઈ
મકવાણા (ઉ.વ.૩૩),હર્ષદભાઈ જીતુભાઈ.શક્તિભાઈ ધનજીભાઈ મકવાણા (ઉ.વ.૧૭), ધનજીભાઈ સવજીભાઈ મકવાણા (ઉ.વ.૩૯), શોકી સવજીભાઈ મકવાણા(ઉ.વ.૩૫), ઉર્મીલાબેન
અશોકભાઈ મકવાણા (ઉ.વ.૩૫)ને ઈજાગ્રસ્ત હાલતે ૧૦૮ના પાયલોટ ચંદ્રસિંહ ગોહિલ અને ઇએમટી હરેશ જાની દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

Related posts

મહાકુંભમાં મૌની અમાવસ્‍યા પર સ્નાન માટે ભીડ વધી જવાથી ભાગદોડ મચી, ૨૦ જેટલા મૃત્યુ પામ્યા ૫૦ જેટલા શ્રધ્ધાળુઓ ઘવાયા

Ahmedabad Samay

રાજ્યમાં 8 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા –રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Ahmedabad Samay

કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહની હત્યા પગલે જયપુર બંધનો એલાન

Ahmedabad Samay

યુનાઈટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા દિવ્યાંગ અને મંદબુદ્ધિ ના બાળકો માટે શેક્ષણિક કીટ અને નાસ્તો વિતરણ કરાયું

Ahmedabad Samay

રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

આવતી કાલે CNG પંપો બંધ રાખવા મામલે જાણો એસોસિએશન દ્વારા શું નિર્ણય લેવાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો