તળાજા તાલુકાના ટીમાણા ગામે બે પરિવાર વચ્ચે લોહિયાળ મારામારી થતા બાર જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે આજે રાત્રિના સમયે મકવાણા પરિવારના સભ્ય વચ્ચે સશસ્ત્ર અને છૂટા હાથની મારામારી થઈ હતી. મારામારીમાં મહિલા અને પુરુષ મળી કુલ કરતા હતા. ૧૨ વ્યક્તિને નાની મોટી ઈજાઓ થતા ૧૦૮ અને ખાનગી વાહનો દ્વારા તમામને તળાજા ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાદ પાંચ વ્યક્તિને ભાવનગર વધુ સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.
તળાજા હોસ્પિટલ ખાતેથી બનાવ અંગે ઇજાગ્રસ્તો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવના કારણોમાં એક દીકરીની છેલ્લા કેટલાક સમયથી છેડતી કરતા હોવાના કારણે ઠપકો દેતા મામલો બિચકયો હતો. દીકરીના પરિવારજનોએ જણાવ્યું હતું કે દીકરીના લગ્ન લેશો તો પણ અમે ગામમાં જાન નહીં આવવા દઈએ ત્યાં સુધીની દાદાગીરી
જ્યારે સામે પક્ષના એ જણાવ્યું હતું કે અમોને સમાધાન માટે બોલાવ્યા હતા. અને સામા પક્ષે હુમલો કર્યો હતો. જોકે પક્ષે પણ સ્વીકાર્યું હતું કે યુવક અને યુવતીના સંબંધોને લઈને આ મારામારીની ઘટના બની હતી. જે મારા મારીમાં બન્ને પક્ષના
હરિભાઈ બાલાભાઈ મકવાણા
(ઉ.વ.મકવાણા (ઉ.વ.૨૯), મનશુખભાઈ કાળુભાઇ મકવામા (ઉ.વ. ૩૪), રિમુબેન જીતુભાઇ મકવાણા (ઉ.વ.૬૦), ભરતભાઈ ગોબરભાઈ મકવાણા (ઉ.વ.૫૦), ભારતીબેન પ્રવીણભાઈ મકવાણા
(ઉ.વ.૩૨), પ્રવીણભાઈ ભુપતભાઈ
મકવાણા (ઉ.વ.૩૩),હર્ષદભાઈ જીતુભાઈ.શક્તિભાઈ ધનજીભાઈ મકવાણા (ઉ.વ.૧૭), ધનજીભાઈ સવજીભાઈ મકવાણા (ઉ.વ.૩૯), શોકી સવજીભાઈ મકવાણા(ઉ.વ.૩૫), ઉર્મીલાબેન
અશોકભાઈ મકવાણા (ઉ.વ.૩૫)ને ઈજાગ્રસ્ત હાલતે ૧૦૮ના પાયલોટ ચંદ્રસિંહ ગોહિલ અને ઇએમટી હરેશ જાની દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
