May 9, 2026
અપરાધ

અમદાવાદ: ઝઘડો થતા બીજા રૂમમાં સૂઈ રહેલા એન્જિનિયર પતિના ગાલ પર પત્નીએ ચપ્પુ માર્યુ, 24 ટાંકા આવ્યાં

ઓઢવમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓઢવમાં એન્જિનિયર પતિએ તેની પત્ની વિરુદ્ધ ખોટા કેસમાં ફસાવવાની અને ગાલ પર ચપ્પુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરતા પોલીસે પત્ની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, એન્જિનિયર તરીકે કામ કરતાં એક શખ્સે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, લગ્નના બે-ત્રણ વર્ષ સુધી તેની પત્ની સારી રીતે રહી હતી. પરંતુ, બાદમાં તે ખૂબ જ ગુસ્સો કરતી હતી અને નાની-અમથી વાતમાં પતિ અને તેના પરિવાર સાથે બોલાચાલી કરીને ઝઘડા કરતી હતી. ફરિયાદમાં જણાવાયું કે, પત્નીના પિતાએ પણ કહ્યું હતું કે, તારે સાસરીમાં કોઇથી ડરવાનું નહીં અને કોઇ કંઇ કહે તો તારે તેની સામે પડીને જે કરવું હોય તેમ કરવાનું. આથી પત્ની સાસરીમાં પતિ અને તેના સાસરિયાં સાથે સરખી રીતે બોલતી ન હતી.

ઝઘડો કરી પતિને બીજા રૂમમાં સૂવડાવ્યો, સવારે ગાલ પર ચપ્પુ માર્યું

દરમિયાન કોઈ બાબતે ઝઘડો થતા પતિને રૂમમાંથી બહાર કાઢી અન્ય રૂમમાં સૂવાનું કહ્યું હતું. આથી પતિ અન્ય રૂમમાં સૂવા ગયો હતો. સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ પત્ની પતિ પાસે આવી હતી અને પતિના ડાબા ગાલ પર ચપ્પુ મારી દીધું હતું. આ સાથે ધમકી પણ આપી હતી કે, આજે ગાલ પર માર્યું છે હવે જો મને કંઇ કહેશો તો ગળા પર મારી જાનથી મારી નાંખીશ. ઇજાગ્રસ્ત પતિને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. તેના ગાલ પર આશરે ચોવીસ ટાંકા આવ્યા હતાં. જો કે, ત્યાર બાદ પણ પત્ની પતિને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા આખરે કંટાળીને પતિએ પત્ની વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દિલ્હી: લગ્ન કરવાની ના પાડતા યુવકે સળિયો મારીને કરી યુવતીની હત્યા, કોલેજ નજીકથી મળી લાશ

Ahmedabad Samay

અઅમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવી દીધા

Ahmedabad Samay

મેઘાણીનગરમાં જાહેરમાં થઈ હત્યા, રીંકુ ઉર્ફે ટમાટરે જાહેરમાં કરી હત્યા

Ahmedabad Samay

ગાંધીનગર: ઘાસ કાપવાનું મશીન ખરીદી રૂ. 3.38 લાખના આપેલા બે ચેક રિટર્ન થતા વેપારી સાથે છેતરપિંડી, 3 સામે ફરિયાદ

Ahmedabad Samay

પ્રાંતિજ ના વાધપુર મર્ડર કેસ મા બાકી ના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા

Ahmedabad Samay

કાર બ્લાસ્ટને તપાસ એજન્સીઓ આ ઘટનાને જૈસ-એ-મોહમ્મદ સંગઠનનો આત્મઘાતી આતંકી હુમલો માની રહી છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો