August 13, 2026
અપરાધ

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ઠગાઈની ફરિયાદ, કન્સ્ટ્રક્શનના વેપારી પાસેથી રૂ.80 લાખ પડાવ્યા!

મહાઠગ કિરણ પટેલ કેસમાં એક પછી એક નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ એક ફરિયાદ ભેજાબાજ કિરણ પટેલ સામે થઈ હોવાનું જાણવા મળ્યું છે. કિરણ પટેલે નારોલમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતા વેપારી સાથે જમીન વેચવાના નામે રૂ.80 લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાતા તેની સામે આ ત્રીજો ગુનો નોંધાયો છે.

મીડિયા અહેવાલ મુજબ, કન્સ્ટ્રક્શન વેપારી સાથે બાનાખત કર્યા બાદ દસ્તાવેજ કરી આપ્યા ન હોવાની ઉપેન્દ્રસિંહ ચાવડા નામના વેપારીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, નારોલ પાસેની જમીન વેચવાના નામે મહાઠગ કિરણ પટેલે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા વેપારી પાસેથી પૈસા લીધા હતા. આ સોદામાં બાનાખત કરીને દસ્તાવેજ નહોતા કર્યા. જ્યારે વેપારી પાસેથી રૂ. 80 લાખ મેળવી લીધા હતા. પરંતુ, દસ્તાવેજ ન કરી વેપારી સાથે છેતરપિંડી આચરી હતી.

અગાઉ 18મી સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા

આથી વેપારીએ કિરણ પટેલ સામે ફરિયાદ કરતા હવે ક્રાઈમ બ્રાન્ચમાં તેમની સામે કુલ ત્રણ ગુના નોંધાયા છે. જણાવી દઈએ કે, અગાઉ કિરણ પટેલ સામે ઠગાઈ કેસમાં કોર્ટે 18મી સુધીના રિમાન્ડ મૂંજર કર્યા છે. ત્યારે આજે બપોરે ફરી કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. જ્યારે રૂ. 80 લાખ રૂપિયાની ઠગાઈ મામલે તેની અટકાયત કરી શકાય છે.

Related posts

બાપુનગરમાં આવેલ ગજાનંદચાલીમાં દિપુ સિંધીના આંતકથી લોકો થયા બેહાલ.

Ahmedabad Samay

ઇન્દોરમાં હિન્દુ સંગઠનના લોકો પર પથ્થરમારોની ઘટના

Ahmedabad Samay

પતિના દારૂ અને ગુટખાના રંગીલા શોખથી કંટાળી પત્નીએ જીવન ટૂંકાવ્યું, BJP કોર્પોરેટના હતા પુત્રવધુ

Ahmedabad Samay

અમદાવાદ: ઝઘડો થતા બીજા રૂમમાં સૂઈ રહેલા એન્જિનિયર પતિના ગાલ પર પત્નીએ ચપ્પુ માર્યુ, 24 ટાંકા આવ્યાં

admin

સુરત ના કતારગામ વિસ્તાર માં પતિએ પત્ની ને જીવતી સળગાવી દીધી

Ahmedabad Samay

ભૂરાભાઇ પરિહાર પર અંગત અદાવતમાં અસામાજિક તત્વો એ જાનથી મારવાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો