પીએમ મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આવતીકાલ સુધીમાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે. હીરાબાના ખબરઅંતર પૂછવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ યુએન મેહતા હોસ્પિટલ પહોંચ્યા હતા હાલ 6 તબીબોની ટીમ હીરાબાની સારવાર કરી રહી છે.
હીરાબાની તબિયત બગડતા તેમને યુએન મેહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યામાં હતા. હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર મળ્યા બાદ પીએમ મોદી અમદાવાદ માતાના ખબરઅંતર પુછવા માટે આવ્યા હતા.
