March 21, 2025
ગુજરાત

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ કેસને લઈ મોટા સમાચાર, અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર્સ સહિત 4ની ધરપકડ

હાટકેશ્વર બ્રિજ કૌભાંડ કેસને લઈ એક મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોમાં અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ ખોખરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. આગોતરા જામીન રદ થયા બાદ બંને ધરપકડના ડરથી જાતે જ પોલીસ સમક્ષ હાજર થયા છે.

આગોતરા જામીન રદ થતા હાજર થયા

હાટકેશ્વર બ્રિજ કૌભાંડ કેસમાં અગાઉ અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માલિકોએ સેસન્સ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા જામીન માટે અરજી કરી હતી. જો કે, તેમની આ અરજી રદ થતા અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલે ખોખરા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રમેશભાઈ ચેરમેન છે ત્યારે તેમના દીકરા ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ ડિરેક્ટર છે તથા અન્ય આરોપી રસિક પટેલ કંપનીમાં ભાગીદાર છે. આ ચારેય આરોપી પોલીસ સમક્ષ હાજર થયા છે. આજે પોલીસ ચારેયને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગે તેવા અહેવાલ છે.

કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરાશે

માહિતી મુજબ, મેડિકલ ટેસ્ટ બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. હાટકેશ્વર વિસ્તારમાં આવેલો છત્રપતિ શિવાજી બ્રિજ તેના નિર્માણના થોડા જ મહિનામાં જર્જરિત થયો હતો. આથી બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. પરંતુ, ત્યાર પછી પણ બ્રિજ ફરી જર્જરિત થયો હતો. બ્રિજ પર પોપડા ઉખડવા લાગ્યા હતા. બ્રિજ જોખમી બનતા ફરી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. આ મામલે વિપક્ષ દ્વારા ભારે હોબાળો થયા બાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. ત્યારે હવે હાટકેશ્વર બ્રિજમાં મોટું કૌભાંડ આચરી ભ્રષ્ટાચાર કરવા માટે જવાબદાર ચારેય આરોપી પોલીસ સમક્ષ હાજર થયા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ વારંવાર જર્જરિત થતા વિપક્ષે રાજ્ય સરકારને ઘેરી હતી અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.

Related posts

ઉત્તર ભારતીય વિકાષ પરિષદ દ્વારા અમદાવાદના સરસપુર ખાતે નિઃશુલ્ક ઓક્સિન બેડ ની સુવિધા કરાઇ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કિડની અને મૂત્રમાર્ગના રોગો માટે નિઃશુલ્ક કેમ્પ

Ahmedabad Samay

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ, લોકપ્રિય કલાકાર મહેશ કનોડિયાનું નિધન

Ahmedabad Samay

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અટલ ફૂટ ઓવરબ્રિજ ટૂંક સમયમાં જ લોકો માટે ખુલ્લો મૂકાશે

Ahmedabad Samay

પોલીસ કમિશનર દ્વારા જાહેર સરકારી સંસ્થાઓ ની આસપાસ DJ વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું

Ahmedabad Samay

મેઘાણીનગરમાં વહુને ફીનાઇલ પીવડાવી મારવાના કિસ્સામાં યોગ્ય કાર્યવાહી નથતા, ગુન્હેગાર બન્યા વધુ બેફામ, વારંવાર ઝઘડો અને માનસિક ત્રાસ વધુ આપતા ફરી ફરિયાદ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો