March 23, 2026
ગુજરાત

છાપરા ગ્રામપંચાયતે દારૂબંધીને લઈને અનોખો નિર્ણય કર્યો છે. ગામમાં કોઈપણ વ્યક્તિએ દારૂ ગાળવા કે દારૂ વેચવા પર પંચાયતે પ્રતિબંધ લગાવ્યો

તાલુકાની છાપરા ગ્રામપંચાયતે દારૂબંધીને લઈને અનોખો નિર્ણય કર્યો છે. ગામમાં કોઈપણ વ્યક્તિએ દારૂ ગાળવા કે દારૂ વેચવા પર પંચાયતે પ્રતિબંધ લગાવ્યો છે. જો કોઈ વ્યક્તિ દારૂ ગાળવાનું કે દારૂ વેચાણ કરતો ઝડપાશે તો પંચાયતની તમામ સેવાઓ તે વ્યક્તિ માટે બંધ કરવા માટે નિર્ણય કર્યો હતો. ગામમાં દારૂની ભઠ્ઠી પણ ઝડપાશે તો તેને પણ પંચાયત દ્વારા મળતી સેવાઓ બંધ કરી દેવાનો પણ નિર્ણય કર્યો છે.

બનાસકાંઠામાં છેલ્લા ઘણા દિવસથી દારૂ-ડ્રગ્સ સહિતની બદીને લઈને મામલો ગરમાયો છે. દારૂને લઈને રાજકીય પક્ષો પણ સામસામે આવ્યા છે. ત્યારે દારૂ જેવા મુદ્દાઓને લઈને ગામડાઓ પણ આ બદીને રોકવા માટે અલગ અલગ કડક નિયમો બનાવી રહ્યા છે. અત્યારે પાલનપુરની છાપરા ગ્રામપંચાયતમાં દારૂની બદી રોકવા માટે અનોખો નિર્ણય કર્યો છે.

દારૂના કારણે છાપરા ગામમાં અનેક લોકોના ઘર બરબાદ થયા છે અને યુવાનો દારૂના લતે ચડ્યા છે. ત્યારે હવે ગ્રામપંચાયત દ્વારા એક અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે, જે કોઈ વ્યક્તિ દારૂ પીશે તેને પંચાયતની સેવામાંથી બાકાત રાખવામાં આવશે. તેમજ ગામમાં કોઈ દારૂની ભઠ્ઠી પણ ચલાવતો હશે, તેને પણ ગ્રામપંચાયતની સેવાઓ આપવામાં નહીં આવે તેવો નિર્ણય ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવ્યો છે.

Related posts

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂા.૧,૧૫,૧૦૦/- ની કિંમતની બનાવટી ભારતીય ચલણી નોટો પકડી પાડી બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

Ahmedabad Samay

હનીટ્રેપમાં ધરપકડ કરાયેલા મહિલા પીઆઇએ ગત મોડી રાત્રે સેનિટાઈઝર પીધુ

Ahmedabad Samay

વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા દ્વારા ગૌ રક્ષા મુદ્દે અમદાવાદના સંગઠનો સાથે મુલાકાત લીધી

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ, ગુરૂવારે ૨૫મી જુલાઈના રોજ બપોરે ૩-૩૦ વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે

Ahmedabad Samay

શહેરમાં અવર – જવર કરવા ઉપર ભારે વાહનો માટે નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો