May 9, 2026
બિઝનેસ

આ 6 બેન્કો વરિષ્ઠ નાગરિકોને FD આપી રહી છે સૌથી વધુ વ્યાજ, તમારા પૈસા પર 9.50% વ્યાજ મેળવવાની છે તક

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ગયા વર્ષે મેથી રેપો રેટ વધારવાનું શરૂ કર્યું હતું. જે પછી મોટાભાગની જાહેર, પ્રાઇવેટ અને નાની ફાઇનાન્સ બેન્કોએ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ વધારવાનું શરૂ કર્યું. હવે મોટાભાગે તમામ સ્મોલ ફાઇનાન્સ બેન્કો કસ્ટમર્સને અન્ય જાહેર અને પ્રાઇવેટ ક્ષેત્રની બેન્કોની તુલનામાં ઊંચા વ્યાજ દરો ઓફર કરી રહી છે. કેટલીક નાની ફાઇનાન્સ બેન્કો FD પર 9% થી વધુ વ્યાજ ઓફર કરી રહી છે. ચાલો જાણીએ કઈ બેન્કો સૌથી વધુ વ્યાજ આપી રહી છે.

આ નાની ફાઇનાન્સ બેન્કો છે જેમાં તમે FDમાં રોકાણ કરી શકો છો

1) યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક (Unity Small Finance Bank): બેંક સામાન્ય લોકોને 9.00% અને વરિષ્ઠ નાગરિકોને 1001 દિવસની FD પર 9.50% વ્યાજ આપે છે. આ સિવાય બેંક 181-201 દિવસની FD પર 9.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.

2) જના સ્મોલ ફાઇનાન્સ બેંક (Jana Small Finance Bank): બેંક બે થી ત્રણ વર્ષથી વધુની FD પર સામાન્ય લોકોને 8.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 9 ટકા વ્યાજ આપે છે. બેંક કસ્ટમર્સને 4.25 ટકાથી 9 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

3) સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક (Suryoday Small Finance Bank): બેંક 999 દિવસની FD પર સામાન્ય લોકોને 9 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 9.60 ટકા વ્યાજ ઓફર કરે છે. સૂર્યોદય ફાઇનાન્સ કસ્ટમર્સને મહત્તમ 9.60 ટકા વ્યાજ આપી રહ્યું છે. બેંકના વ્યાજ દર 4.50 ટકાથી 9.60 ટકા સુધીની છે. આ નવા દરો 5 મેથી લાગુ થશે.

4) ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક (Equitas Small Finance Bank): બેંક 888 દિવસની FD પર સામાન્ય લોકોને 8.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 9 ટકા વ્યાજ આપી રહી છે. આ નવા દરો 11 એપ્રિલથી લાગુ થશે.

5) ESAF સ્મોલ ફાઇનાન્સ બેંક (ESAF Small Finance Bank): બેંક 2 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછી એફડી પર 9% વ્યાજ ઓફર કરે છે. આ વ્યાજ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવી રહ્યું છે. સામાન્ય લોકોને 8.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

Related posts

પોસ્ટ ઓફિસ NSC vs ટેક્સ સેવિંગ બેંક FD: પૈસા ક્યાં જમા કરવા પર મળે છે વધુ રિટર્નનો બેનિફિટ

Ahmedabad Samay

ક્યાંક 10 લાખ તો ક્યાંક 5000 રૂપિયા, જાણો કયા દેશમાં ચલણમાં છે સૌથી મોટી નોટ

Ahmedabad Samay

Business: IRCTC વેબસાઇટ અટકી, રિઝર્વેશન કાઉન્ટર વધ્યા, જાણો શું છે કારણ?

Ahmedabad Samay

ઈન્ડિગોનું ઓપરેશનલ સંકટ યથાવત, કાલે પણ ૧,૦૦૦ આસપાસની ફ્લાઇટસ કેન્સલ થવાની આશંકા,મુસાફરોને રિફંડ આપવાની તૈયાયરી બતાવી

Ahmedabad Samay

કોરોના સંકટમાં સિંગલ સીટર સ્કૂટર લોન્ચ

Ahmedabad Samay

શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાનીમાં કરી રહ્યા છે કારોબાર, અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં મોટો ઉછાળો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો