August 7, 2026
ગુજરાત

નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર કરાયેલ રીપોર્ટ અનુસાર, જીટીયુ –જીએસપી સમગ્ર દેશમાં 71માં સ્થાને

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીએ (જીએસપી) તેની સ્થાપનાકાળના ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર દેશમાં ટોપ-100 શ્રેષ્ઠ ફાર્મસી કૉલેજ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેન્દ્રિય શિક્ષણ રાજ્યમંત્રીશ્રી રાજકુમાર રંજનસિંહ દ્વારા જાહેર કરાયેલ નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કમાં (NIRF) જીટીયુ-જીએસપી સમગ્ર દેશમાં 71માં ક્રમે રહી છે.

આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, અદ્યતન હાઈટેક લેબોરેટરીઝ , રીસર્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ જેવી વિવિધ પ્રવૃત્તિઓને કારણોસર NIRF રેન્કિંગમાં જીટીયુ-જીએસપી સ્થાન પામ્યું છે. જે બદલ સમગ્ર જીટીયુ પરિવાર આનંદની લાગણી અનુભવે છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ જીએસપીના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણ અને તમામ સ્ટાફગણને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં. ગુજરાતમાંથી ફાર્મસી કૉલેજની કેટેગરીમાં કુલ 27 કૉલેજોએ અરજી કરેલ હતી. જીએસપી ગુજરાતમાં 6ઠ્ઠા ક્રમે જ્યારે દેશભરમાં 71માં ક્રમે રહીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

આ સંદર્ભે જીટીયુ-જીએસપીના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણે જણાવ્યું હતું કે, NIRF દ્વારા છેલ્લા 3 વર્ષના મુખ્ય 5 ક્રાઈટેરીયા આધારીત ડેટા પર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં ટીચીંગ લર્નિંગ રીસોર્સિસ , રીસર્ચ અને પ્રોફેશનલ પ્રેક્ટિસ , ગ્રેજ્યુએશન આઉટકમ , આઉટરીચ અને ઈન્ક્લુઝીવીટી અને પીયર પર્ફોર્મન્સ વગેરે જેવા ક્રાઈટેરીયામાં શ્રેષ્ઠ દેખાવના પરિણામે જ જીએસપી આ રેન્કિંગ મેળવવામાં સફળ રહ્યું છે. રાજ્યમાંથી જીટીયુ સહિત અન્ય 7 કૉલેજો પણ ટોપ-100માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે.

Related posts

દેશભરમાં ડોક્ટરોના વિરુદ્ધ દેખાવો પછી ૧૧મીએ બિન આવશ્યક તમામ મેડીકલ સેવાઓ થંભી જશે

Ahmedabad Samay

શહેરમાં ભારે વરસાદની આપાયેલી આગાહી પગલે આગામી બે દિવસ સુધી શહેરના તમામ લેક અને ગાર્ડન બંધ રહેશે

Ahmedabad Samay

અનલોક ૦૫ અંતર્ગત ૧૫ ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી

Ahmedabad Samay

જુનાગઢ કાળવા ચોક વિસ્તારમાં કોમ્પ્યુટરમાં યંત્રો ના ચિત્ર પર જુગાર રમતા વિશ્વ લોકોને પકડી પાડતી પોલીસ

Ahmedabad Samay

અમદાવાદ:દશામની મૂર્તિ વિસર્જન કરવા જતાં  પાણીમાં ડૂબી જતાં 3 લોકોના દુઃખદ મૃત્યુ થયાં

Ahmedabad Samay

આગામી પાંચ દિવસમાં ઠંડીનો બીજો રાઉન્ડ આવશે, બધું થીજવી દેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો