May 8, 2026
ગુજરાત

ક્રાંતિકારી સંત મુનિરાજ શ્રી નિલેશ વિજયજી મહારાજને રાષ્ટ્રીય સંતની પદવી મળવા બદલ જૈન અજૈન તમામ ધર્મપ્રેમીઓએ અભિનંદન પાઠવ્યા

દેશની સૌથી મોટી સમસ્યા લવ જેહાદ અને જીવદયા માટે કામ કરનાર ક્રાંતિકારી જૈન સાધુ પૂ.નિલેશચંદ્ર વિજયજી મહારાજ સાહેબને અભિનંદન પાઠવ્યા હતા. અખિલ ભારતીય જૈન પત્રકાર સંઘના રાષ્ટ્રીય સ્થાપક પ્રમુખ હાર્દિક ના હસ્તે જૈન અજૈન મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સંતનું બિરુદ સ્મૃતિ પત્ર રૂપે આપવામાં આવ્યું હતું.

મોહન ખેડાના પ્રણેતા પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્દ વિજય શ્રી ઋષભ વિજયજી મહારાજના શિષ્ય શ્રી મુનિ શ્રી નિલેશચંદ્ર વિજયજી અને મુનિ શ્રી વિશ્વભૂષણ વિજયજી મહારાજ, શ્રી શાંતિનાથજી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ ડિલાઈ રોડ ખાતે ચાતુર્માસ કરવા પધાર્યા છે. મુનિ શ્રી નિલેશચંદ્ર વિજયજીએ જણાવ્યું કે આજે સમાજમાં એકતા લાવવાની ખૂબ જ જરૂર છે.

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવી જોઈએ અને અમે તે કરીશું. સંતને રાષ્ટ્રીય સંતની ઉપાધિની જરૂર નથી પરંતુ આ સંઘના આશીર્વાદ છે. હું હાર્દિક હુંડિયા અને સંઘના તમામ લોકોને વિનંતી કરું છું કે હવે આપણે બધાએ એક થઈને આ દેશમાં લવ જેહાદ અને નિર્દોષ પ્રાણીઓની હત્યા બંધ કરાવવી જોઈએ, આપણે સૌ સાથે મળીને આ સમસ્યા નો રસ્તો કાઢીશું અને આ વસ્તુ થવી જ ના જોઈએ.

આ શુભ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી શ્રી ધર્મપ્રકાશ દાસજીએ પણ પોતાના મૂલ્યવાન વિચારો વ્યક્ત કર્યા હતા. સેવા ફાઉન્ડેશનના રમેશ જૈન, નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરો મહારાષ્ટ્રના જોઈન્ટ ડાયરેક્ટર દેવેન્દ્ર વખારિયા, પૂણેથી વરિષ્ઠ સામાજિક કાર્યકર કિશોર ભંડારી, યુનિયનના પ્રમુખ મદન કોઠારી, ઉદ્યોગપતિ મુકેશ મુથલિયા, અરિહંત ગ્રુપના દિનેશ ચૌહાણ, રાજકારણીઓ પ્રકાશ ચોપરા, રાકેશ નાહર, ભારતના અચલગચ્છ સંઘ નાં મંગલ શેઠ, વિશ્વ હિન્દુ પરિષદના દિનેશ જૈન, ખેતલાજીના પ્રખર ભક્ત પ્રવીણ જૈન, કિશોર રામાણી, લલિત શાહ તેમજ પ્રખ્યાત ગાયક અરવિંદ જૈને સૌને ભક્તિમાં મંત્રમુગ્ધ કર્યા હતા.

ક્રાંતિકારી સંત મુનિરાજ શ્રી નિલેશ વિજયજી મહારાજને રાષ્ટ્રીય સંતની પદવી મળવા બદલ જૈન અજૈન તમામ ધર્મપ્રેમીઓએ અભિનંદન પાઠવ્યા હતા. હાર્દિક હુંડિયાએ કહ્યું કે આટલી નાની ઉંમરમાં દેશ અને ધર્મ પ્રત્યેના અમૂલ્ય કાર્ય માટે રાષ્ટ્ર સંતનું બિરુદ મેળવનાર તે પ્રથમ સંત છે.

Related posts

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધ્યા,શંકાસ્પદ કેસ વધીને 71 થયા

Ahmedabad Samay

સાવધાન ટ્રાફિક પોલીસ આવી એક્શન મોડમાં,આજથી કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ પર કરાશે કડક કાર્યવાહી

Ahmedabad Samay

વડોદરા – વૃદ્ધાના મોત બાદ પશુ માલિકની થઈ ધરપકડ, ગંભીર ઘટનાથી સ્થાનિકોમાં પણ આક્રોશ

Ahmedabad Samay

હાઉસિંગ સોસાયટીઓને લગતા વિષયો અને વિવાદોની વિશાળ શ્રેણી પર સ્‍પષ્ટ માર્ગદર્શિકા પ્રદાન કરે તેવી અપેક્ષા

Ahmedabad Samay

૩૩૧ જગ્યા પર આવી આંગણવાડીમાં ભરતી.

Ahmedabad Samay

નેહા રાજપૂતના નવા ગીત “રોણા તો રોણા કહેવાય છે” મચાવી ધૂમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો