August 7, 2026
તાજા સમાચારદેશરમતગમત

ક્રિકેટના મહાકૂંભ ગણાવતા વનડે વર્લ્‍ડ કપનું શિડ્‍યુઅલ જાહેર,અમદાવાદમાં રમાશે ભારત પાકિસ્તાન મેચ,

ક્રિકેટના મહાકૂંભ ગણાવતા વનડે વર્લ્‍ડ કપનું શિડ્‍યુઅલ સત્તાવાર રીતે જાહેર થયું છે. આજે બીસીસીઆઇએ વર્લ્‍ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યો છે. વર્લ્‍ડ કપ કાર્યક્રમમાં સૌથી ખાસ વાત ભારત અને પાકિસ્‍તાન મેચને લઈને છે, આ બન્ને કટ્ટર હરીફ દેશો ૧૫ ઓક્‍ટોબરે મેચ રમશે.

રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઈન્‍ડીયા વર્લ્‍ડ કપમાં અલગ અલગ ઠેકાણે કુલ ૯ મેચ રમશે.

ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલીવાર બની રહ્યું છે, જયારે સમગ્ર વર્લ્‍ડ કપ ભારતમાં જ રમાશે. અગાઉ ભારત સંયુક્‍તપણે ૧૯૮૭, ૧૯૯૬ અને ૨૦૧૧માં વન ડે ક્રિકેટ વર્લ્‍ડ કપની યજમાની કરી ચૂક્‍યું છે.

ભારત વર્ષ ૨૦૧૧ બાદ પહેલી વખત વન ડે વર્લ્‍ડકપની યજમાની કરવા જઈ રહ્યું છે. ૫ ઓક્‍ટોબર ૨૦૨૩થી ભારતમાં વર્લ્‍ડ કપનો પ્રારંભ થશે જેમાં ૧૦ ટીમો ભાગ લેવાની છે જેમાંથી આઠ ટીમો ફિક્‍સ છે, જયારે બે ટીમોનો નિર્ણય હાલમાં ચાલી રહેલી ક્‍વોલિફાયર ટુર્નામેન્‍ટથી નક્કી થશે, જેમાં બે વખતની વર્લ્‍ડ ચેમ્‍પિયન વિન્‍ડિઝ અને એક સમયની વર્લ્‍ડ ચેમ્‍પિયન શ્રીલંકાની ટીમ રમી રહી છે.

ભારત-પાકિસ્‍તાનની મેચ ૧૫ ઓક્‍ટોબરે અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં યોજાવાની છે, પરંતુ પાકિસ્‍તાને પણ તેની સામે વાંધો ઉઠાવ્‍યો હતો. હવે જોવાનું એ છે કે પાકિસ્‍તાનની માગણીઓને સ્‍વીકારવામાં આવી છે કે નકારી કાઢવામાં આવી છે.

ભારત તેની પ્રથમ મેચ ૧૨ ઓક્‍ટોબરે ઓસ્‍ટ્રેલિયા સામે રમશે.

વર્લ્‍ડ કપની ફાઈનલ અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં રમાશે, જયારે બે સેમીફાઇનલમાંથી એક મુંબઈના વાનખેડે સ્‍ટેડિયમ અને બીજી કોલકાતાના ઈડન ગાર્ડન સ્‍ટેડિયમમાં રમાશે.

વર્લ્‍ડકપમાં ભારતના મેચો

ભારત  વિરુદ્ધ ઓસ્‍ટ્રેલિયા- ૮ ઓક્‍ટોબર, ચેન્નાઈ

ભારત વિરુદ્ધ અફદ્યાનિસ્‍તાન – ૧૧ ઓક્‍ટોબર, દિલ્‍હી

ભારત વિરુદ્ધ પાકિસ્‍તાન – ૧૫ ઓક્‍ટોબર, અમદાવાદ

ભારત વિરુદ્ધ બાંગ્‍લાદેશ – ૧૯ ઓક્‍ટોબર, પુણે

ભારત વિરુદ્ધ ન્‍યુઝીલેન્‍ડ – ૨૨ ઓક્‍ટોબર, ધર્મશાલા

ભારત વિરુદ્ધ ઇંગ્‍લેન્‍ડ – ૨૯ ઓક્‍ટોબર, લખનઉ

ભારત વિરુદ્ધ ક્‍વોલિફાયર – ૨ નવેમ્‍બર, મુંબઇ

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – ૫ નવેમ્‍બર, કોલકાતા

ભારત વિરુદ્ધ ક્‍વોલિફાયર – ૧૧ નવેમ્‍બર, બેંગલુરુ

Related posts

એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, હેડ-ટુ-હેડ રેકોર્ડ છે ઘણો જોરદાર

Ahmedabad Samay

૦૨ વર્ષ બાદ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લોવર શોનું આયોજન થશે

Ahmedabad Samay

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં શનિવારે ભાજપના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું થયું અવસાન

Ahmedabad Samay

ચૂંટણી પરિણામ, ફરી એક વખત લોકોએ ભાજપને ‘જય શ્રીરામ’ કહી સતાનું સુકાન સોંપ્‍યું

Ahmedabad Samay

રવિવારે રાત્રે લગભગ ૮.૩૦ વાગે પ્રયાગરાજથી ભિવાની જતી કાલિંદી એક્‍સપ્રેસને નુકશાન પહોંચાડવાનું ઘડાયું, મોટી જાનહાની તળી

Ahmedabad Samay

દેશનો GDP ગ્રોથમાં જબરદસ્ત ઉછાળો, વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) *૮.૨%*ના મજબૂત દરે વધ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો