February 8, 2025
ગુજરાત

વીરોને વંદન, માટીને નમન – અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં થશે શહીદ વનનું નિર્માણ

અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં શહીદ વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે કેમ્પસમાં ૩૦૦ વૃક્ષોને શહીદોના નામ આપી, વાવેતર તથા ઉછેર કરાશે. રોટરી ક્લબ સાથે મળીને પોલિટેકનિક કોલેજનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સ્વતંત્રતા પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે મેરી માટી, મેરા દેશ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરના
આંબાવાડી વિસ્તારમાં આવેલા ગવર્મેન્ટ પોલિટેકનિક કેમ્પસ ખાતે શહીદોના સન્માનનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ અને રોટરી ક્લબના સંયુક્ત પ્રયાસથી કેમ્પસમાં ૧૫ ઓગસ્ટના રોજ ૩૦૦ વૃક્ષોનું વાવેતર કરાશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ વૃક્ષોને ભારતભૂમિ
માટે વીરગતિ વહોરનાર શહીદોના નામ આપવામાં આવશે.

પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ  ભાસ્કર ઐયર ના જણાવ્યા પ્રમાણે કોલેજની જ નેશનલ કેડેડ કોર (NCC) અને નેશનલ સર્વિસ સ્કીમ (NSS) પાંખ આ વૃક્ષોનું જતન કરશે. ૩૦૦ વૃક્ષોના વાવેતરથી કોલેજ કેમ્પસમાં એક અલાયદુ અર્બન ફોરેસ્ટ બની જશે જેનો લાભ કેમ્પસના વિદ્યાર્થીઓ ઉપરાંત સ્થાનિકોને પણ મળશે.  કોલેજ કેમ્પસમાં ગ્રીનરી જળવાઈ રહે તે માટે વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવશે.

Related posts

બાબરી વિધ્વંશ નો આજે ચુકાદો

Ahmedabad Samay

દેશના૧૩ રાજ્ય પૂરતું જ રહેશે લોકડાઉન ૫.૦

Ahmedabad Samay

એન.સી.પી. પુરજોશમાં, એન.સી.પી.ના ચોથા કાર્યલયનો કુબેરનગરમાં ઉદ્ધાટન

Ahmedabad Samay

ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન અને મત ગણત્રી ૪ જૂને થશે

Ahmedabad Samay

હિંમતનગર બાદ ખંભાતમા પણ રેલી ઉપર થયો પથ્થર મારો

Ahmedabad Samay

બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે જીસીએસ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો