May 12, 2026
ગુજરાત

અમદાવાદમાં ધોધમાર વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા,સાત અંદરબ્રિજ બંધ કરાયા, જાણો ક્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યો

અમદાવાદમાં ધોધમાર વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદના કારણે શહેરના 7 અંડરબ્રિજ બંધ કરાયા છે. અમદાવાદમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબક્યો છે.

અમદાવાદ શહેરના થલતેજ, વસ્ત્રાપુર, એસજી હાઈવે, ગોતા, એલિસબ્રિજ, જમાલપુર, મણિનગર,કોતરપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મધ્યગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો.

ધોધમાર વરસાદથી શહેરનાં રસ્તાઓ પર ટ્રાફિક જામ પણ સર્જાયો છે. તેમજ ભારે વરસાદને લઇને 7 અંડરબ્રિજ બંધ કરાયા છે.

વાસણા બેરેજના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે તેમજ સાબરમતી નદીમાંથી 33 હજાર 660 ક્યુસેક પાણી છોડાયું છે.  ભારે વરસાદથી અમદાવાદ જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. સાંજના સમય અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે.

જાણો ક્યાં વિસ્તારમાં કેટલું પાણી ભરાયું

Related posts

અમદાવાદ ના નરોડા મા વિદ્યાર્થી ઓને કરાયા સન્માનિત

Ahmedabad Samay

અમદાવાદ: વરસાદ અંગે મહત્ત્વના સમાચાર, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી, 207 જળાશયમાં 70.87 ટકા જળસંગ્રહ

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, જળાભિષેક-ષોડશોપચાર પૂજા વિધી કરાશે

Ahmedabad Samay

કોરોનાની સ્થિતી કાબુમાં ન આવે ત્યાં સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત

Ahmedabad Samay

સમારકામ દરમિયાન ગેલેરીની છત પડતા ૪ વર્ષના બાળક સહિત ૨ વ્યક્તિના મોત

Ahmedabad Samay

વિશ્વ હિંદુ પરિષદના કર્ણાવતી પ્રદેશના જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા 20.176 કિલો ચાંદી અયોધ્યા તીર્થ ક્ષેત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો