June 24, 2026
ગુજરાત

સમારકામ દરમિયાન ગેલેરીની છત પડતા ૪ વર્ષના બાળક સહિત ૨ વ્યક્તિના મોત

અમદાવાદમાં બાપુનગરના સત્યમનગર ખાતે મકાનના બાથરૂમના સમારકામ દરમિયાન રવિવારે ગેલેરીની છત પડતા 4 વર્ષના બાળક સહિત 2 વ્યક્તિના મોત નિપજ્યા હતા. બાપુનગર પોલીસે બનાવ અંગે મૃતક કારીગરના ભાઈની ફરિયાદ આધારે મકાન માલિક સહિત 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કૃષ્ણનગરના ઠક્કરનગરમાં ભરવાડ વાસ ખાતે રહેતા ગોવિંદભાઇ સિંધાભાઈ ભરવાડ (ઉં,39) એ બાપુનગર પોલીસ સ્ટેશનમાં સોમવારે રાત્રે 10 વાગ્યે આરોપી વિનુભાઈ છનાભાઈ પરમાર, શૈલેષ નટવર ડાભી અને રાજેશ બાબુ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ કરી છે.

ગત રવિવારે ગોવિંદભાઈના મોટા ભાઈ લાલજીભાઈ (ઉં,40) બાપુનગરના સત્યમનગરમાં રહેતા વિનુભાઇ છનાભાઈ પરમારના મકાન પર બાથરૂમનું રિનોવેશન કામ કરવા ગયા હતા.આ દરમિયાન ગેલેરીની છત પડતા લાલજીભાઈ તેમજ ત્યાં રહેતા 4 વર્ષના બાળક દેવમ નયન બારોટને ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન લાલજીભાઈ અને દેવમનું મોત થયું હતું.

 

Related posts

કાલે સૂર્યગ્રહણ, ગ્રહણ ની અસર કેટલીક રાશિપર પડશે

Ahmedabad Samay

વ્યાજખોરોથી તંગ આવી નિકોલમાં યુવકે ફિનાઈલની ગોળીઓ ખાધી.

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન

Ahmedabad Samay

રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે તેવી આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા અન્યાય સામે ન્યાયના વિજયનાં પ્રતીક સમા દશેરા તહેવાર નિમિત્તે રાવણ દહન અને સુર્પણખા દહન” કાર્યક્રમ યોજાયો હતો

Ahmedabad Samay

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ૭૦ જેટલા આગના બનાવો બન્યાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો