January 24, 2026
ગુજરાત

સમારકામ દરમિયાન ગેલેરીની છત પડતા ૪ વર્ષના બાળક સહિત ૨ વ્યક્તિના મોત

અમદાવાદમાં બાપુનગરના સત્યમનગર ખાતે મકાનના બાથરૂમના સમારકામ દરમિયાન રવિવારે ગેલેરીની છત પડતા 4 વર્ષના બાળક સહિત 2 વ્યક્તિના મોત નિપજ્યા હતા. બાપુનગર પોલીસે બનાવ અંગે મૃતક કારીગરના ભાઈની ફરિયાદ આધારે મકાન માલિક સહિત 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કૃષ્ણનગરના ઠક્કરનગરમાં ભરવાડ વાસ ખાતે રહેતા ગોવિંદભાઇ સિંધાભાઈ ભરવાડ (ઉં,39) એ બાપુનગર પોલીસ સ્ટેશનમાં સોમવારે રાત્રે 10 વાગ્યે આરોપી વિનુભાઈ છનાભાઈ પરમાર, શૈલેષ નટવર ડાભી અને રાજેશ બાબુ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ કરી છે.

ગત રવિવારે ગોવિંદભાઈના મોટા ભાઈ લાલજીભાઈ (ઉં,40) બાપુનગરના સત્યમનગરમાં રહેતા વિનુભાઇ છનાભાઈ પરમારના મકાન પર બાથરૂમનું રિનોવેશન કામ કરવા ગયા હતા.આ દરમિયાન ગેલેરીની છત પડતા લાલજીભાઈ તેમજ ત્યાં રહેતા 4 વર્ષના બાળક દેવમ નયન બારોટને ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન લાલજીભાઈ અને દેવમનું મોત થયું હતું.

 

Related posts

અમદાવાદમાં કોરોના બેફામ બન્યો, ૭૫ % થી વધુ બેડો ભરાયા

Ahmedabad Samay

ગાંધીનગર: ઘરકામ બાબતે ઠપકો આપ્યો તો 19 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઇ મોતને વહાલું કર્યું!

Ahmedabad Samay

દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

Ahmedabad Samay

ધનતેરસે કરો આટલું લક્ષ્મીજી રહેશે પ્રશન

Ahmedabad Samay

અમદાવાદનો જર્જરીત શાસ્ત્રી બ્રિજ આખરે ભારે વાહન ચાલકો માટે કરાયો બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો