February 9, 2025
ગુજરાત

અમદાવાદ: આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, જળાભિષેક-ષોડશોપચાર પૂજા વિધી કરાશે

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની ઉજવણી માટે હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે એટલે કે રવિવારે જળયાત્રાની ઉજવણી કરાશે. આથી જળયાત્રાને લઈ જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, આવતી કાલે સવારે 8થી 10 વાગ્યા સુધી સાબરમતી નદી કિનારે પૂજા કરવામાં આવશે.

ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન

જળયાત્રા માટે 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. આ કળશથી ભગવાનનો જળાભિષેક કરાશે અને ત્યાર બાદ ષોડશોપચાર પૂજા વિધી કરાશે. માહિતી મુજબ, આવતીકાલે યોજાનારી જળયાત્રામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ, મેયર કિરીટ પરમાર સહિત શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર અને ભાજપના નેતાઓ હાજર રહેશે. ભગવાનના મામેરા દરમિયાન ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે કનૈયા જશોદાની થીમ પર મામેરું 

આ શોભાયાત્રામાં 15 હાથી સામેલ થશે અને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે. માહિતી મુજબ, આ વર્ષે કનૈયા જશોદાની થીમ પર મામેરું તૈયાર કરાયું છે. આ થીમ પર શોભાયાત્રા માટે ડ્રેસકોડ રહેશે, જેના માટે 4 હજાર સાડી અને 2 હજાર ડ્રેસ તૈયાર કરાયા છે. ઉપરાંત, 700 ઝભ્ભા અને 700 સાડી સાથે કનૈયા અને માતા જશોદા તૈયાર થશે. 72 વર્ષ બાદ આ વખતે ભગવાન નવા રથમાં નગરચર્ચાએ નીકળશે.  નગરજનો પણ નવા રથમાં નાથને જોવા માટે આતુર છે.

Related posts

આ વર્ષની અખાત્રીજે બની રહ્યા છે શુભ મુહુર્ત

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લૂંટની વારદાતને અંજામ આપતા આધેડનું મૃત્યુ થયું

Ahmedabad Samay

ધો.૧૨ સાયન્સ નું પરિણામ જાહેર, સૌથી થી વધુ પરિણામ મેળવતું કેન્દ્ર ધ્રોલ 91.42% પરિણામ, સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 32.06 ટકા

Ahmedabad Samay

એલ.જે. યુનિવર્સિટી બ્લોકચેન આધારિત મૂલ્યાંકન અને માર્કશીટ વેરિફિકેશન કરનારી ભારત ની પ્રથમ યુનિવર્સિટિ બની

Ahmedabad Samay

બાપા સીતારામ ગ્રુપ દ્વારા ધૈર્ય રાજ માટે ૨.૫૧.૫૦૧ રૂ. ફાળો એકત્રિત કરાયો

Ahmedabad Samay

અમદાવાદના છારાનગરમાં એકસાથે ૨૫૦ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો