November 18, 2025
ગુજરાત

અમદાવાદ: આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, જળાભિષેક-ષોડશોપચાર પૂજા વિધી કરાશે

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની ઉજવણી માટે હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે એટલે કે રવિવારે જળયાત્રાની ઉજવણી કરાશે. આથી જળયાત્રાને લઈ જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, આવતી કાલે સવારે 8થી 10 વાગ્યા સુધી સાબરમતી નદી કિનારે પૂજા કરવામાં આવશે.

ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન

જળયાત્રા માટે 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. આ કળશથી ભગવાનનો જળાભિષેક કરાશે અને ત્યાર બાદ ષોડશોપચાર પૂજા વિધી કરાશે. માહિતી મુજબ, આવતીકાલે યોજાનારી જળયાત્રામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ, મેયર કિરીટ પરમાર સહિત શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર અને ભાજપના નેતાઓ હાજર રહેશે. ભગવાનના મામેરા દરમિયાન ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે કનૈયા જશોદાની થીમ પર મામેરું 

આ શોભાયાત્રામાં 15 હાથી સામેલ થશે અને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે. માહિતી મુજબ, આ વર્ષે કનૈયા જશોદાની થીમ પર મામેરું તૈયાર કરાયું છે. આ થીમ પર શોભાયાત્રા માટે ડ્રેસકોડ રહેશે, જેના માટે 4 હજાર સાડી અને 2 હજાર ડ્રેસ તૈયાર કરાયા છે. ઉપરાંત, 700 ઝભ્ભા અને 700 સાડી સાથે કનૈયા અને માતા જશોદા તૈયાર થશે. 72 વર્ષ બાદ આ વખતે ભગવાન નવા રથમાં નગરચર્ચાએ નીકળશે.  નગરજનો પણ નવા રથમાં નાથને જોવા માટે આતુર છે.

Related posts

પુરીવા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રાયસિકલ નિઃશુલ્ક વિતરણ કેમ્પ

Ahmedabad Samay

નડિયાદમાં ટીપી નં.8માં નિયમોનો ભંગ કરતા રજૂઆત કરાઈ, ખુદ પાલિકાના ભાજપના મહિલા સભ્યએ નગર નિયોજકને રજૂઆત કરી

Ahmedabad Samay

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચે નવા આતંકી મોડયુલ્‍સનો કર્યો પર્દાફાશ, રેવડીબજારમાં આગ ની ઘટના નો મોટો ખુલાશો

Ahmedabad Samay

CM ભુપેન્દ્રભાઇ પટેલના હસ્થે આજ સાંજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થશે

Ahmedabad Samay

અમદાવાદના જુહાપુરા પાસે AMTSની અડફેટે એક મહિલાનું ઘટના સ્થળે જ થયું મોત

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં હેલપિંગ હેન્ડ ટ્રસ્ટ અને ભાજપના કાર્યકરો દ્વારા સ્કૂલના ચોપડા અને બેગ વિતરણનું કાર્યક્રમ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો