March 25, 2025
તાજા સમાચાર

માત્ર 6 મહિનામાં આ દેશ પર થયા 1800થી વધુ આતંકી હુમલા, જાણીને હચમચી જશો

આતંકવાદથી એમ તો તમામ દેશો પરેશાન છે, પરંતુ પશ્ચિમ આફ્રિકા આ ​​દિવસોમાં આતંકની આગમાં વધુ સળગી રહ્યું છે. એક અહેવાલ અનુસાર, આ વર્ષના પ્રથમ છ મહિનામાં પશ્ચિમ આફ્રિકામાં આતંકવાદી હુમલાની 1,800 થી વધુ ઘટનાઓ નોંધવામાં આવી છે. તે મુજબ પશ્ચિમ આફ્રિકામાં દરરોજ સરેરાશ 10 આતંકવાદી હુમલા કરવામાં આવ્યા. આ આતંકવાદી હુમલાઓમાં લગભગ 4,600 લોકોના મોત થયા. એક ટોચના પ્રાદેશિક અધિકારીએ મંગળવારે આ માહિતી આપી.

ટોચના પ્રાદેશિક અધિકારી ઓમર તૌરે યુએન સિક્યુરિટી કાઉન્સિલને જણાવ્યું કે 15 દેશોના ઇકોનોમિક કોમ્યુનિટી ઓફ વેસ્ટ આફ્રિકન નેશન્સ (ECOWAS) માં લગભગ 50 લાખ શરણાર્થીઓ છે અને લગભગ 62 લાખ લોકો વિસ્થાપિત થયા છે. તેમણે જણાવ્યું કે 3 કરોડ લોકો સુધી આંતરરાષ્ટ્રીય સહાય પહોંચવી જરૂરી છે, અને ECOWAS માને છે કે તેમને તાત્કાલિક ખાદ્યાન્નની જરૂર છે. તેમણે કહ્યું કે આવતા મહિના સુધીમાં જરૂરિયાતમંદ લોકોની આ સંખ્યા વધીને 4.2 કરોડ થઈ જશે. તૌર ECOWAS કમિશનના પ્રમુખ છે. તેમણે કહ્યું કે આતંકવાદ, સશસ્ત્ર બળવો, સંગઠિત અપરાધ, સરકારના ગેરબંધારણીય પરિવર્તન, ગેરકાયદેસર દરિયાઈ પ્રવૃત્તિઓ, પર્યાવરણીય કટોકટી અને નકલી સમાચારો સહિતના અનેક પરિબળો આ ક્ષેત્રમાં અસુરક્ષા વધારી રહ્યા છે.

ફરી આતંક વધવાની આશંકા

પશ્ચિમ આફ્રિકામાં જે રીતે આતંકે જોર પકડ્યું છે, તેનાથી ફરી આતંકના મૂળિયા ઉછળવાની આશંકા વધી ગઈ છે. ઓમર તૌરે જણાવ્યું કે આ ક્ષેત્ર ત્રણ દેશો માલી, બુર્કિના ફાસો અને ગિનીમાં લશ્કરી શાસન વચ્ચે આતંકવાદના પુનરુત્થાન અંગે ચિંતિત છે. તૌરેએ ધ્યાન દોર્યું કે જાન્યુઆરી અને 30 જૂન વચ્ચે પશ્ચિમ આફ્રિકામાં આતંકવાદી હુમલાની 1,800 થી વધુ ઘટનાઓ નોંધવામાં આવી. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન આતંકવાદી હુમલાઓમાં 4,593 લોકો માર્યા ગયા, જેમાં બુર્કિના ફાસોમાં 2,725, માલીમાં 844, નાઈજરમાં 77 અને નાઈજીરિયામાં 70ના મોત થયા. તેમણે કહ્યું કે એટલાન્ટિક મહાસાગરથી દૂર બેનિન અને ટોગોમાં થયેલા આતંકવાદી હુમલાઓ તટીય દેશોમાં આતંકવાદના ફેલાવાનો સ્પષ્ટ સંકેત છે. આ એવી સ્થિતિ છે જે પ્રદેશ માટે વધારાના જોખમો ઉભી કરે છે.

Related posts

જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર ‘વ્યાસ કા તેખાના’ વિસ્તારમાં હિન્દુ દેવી-દેવતાઓની પૂજા કરવાનો અધિકાર આપ્યો

Ahmedabad Samay

૧૬ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી તરીકે ફરી ભુપેન્દ્રભાઇ પટેલે શપથ લીધા,

Ahmedabad Samay

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટા માથાના નેતાઓએ ચૂંટણી લડવા કહી દીધું “ના”

Ahmedabad Samay

આસ્થા ફાઉન્ડેશન દ્વારા નિરાધાર વૃદ્ધઓ માટે અખબારનગર ખાતે વૃદ્ધાઆશ્રમ ની સ્થાપના કરવામા આવી

Ahmedabad Samay

જુનિયર મહેમૂદનું થયું નિઃધન,જુનિયર મહમૂદ પ્રેમનો ખજાનો હતો: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

વિરમગામ અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંદર્ભે મોક ડ્રીલ કરવામાં આવી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો