March 28, 2026
ગુજરાત

સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મામલે હાઈકોર્ટે પોલીસ સામે નોટિસ ઈસ્યુ કરી

અમદાવાદના સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મામલે હાઈકોર્ટે પોલીસ અધિકારીઓ સામે નોટિસ ઈસ્યુ કરી છે. અદાલતના હુકમના તિરસ્કારની નોટિસ ઈસ્યુ કરી છે. કોર્ટે આ મામલે પોલીસ સ્ટાફમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહીતનાને નોટિસ ઈસ્યુ કરી છે.

5 જુલાઈના રોજ જુનૈદ મિર્ઝાની સિંધુ ભવન રોડ પર અમદાવાદ પોલીસે હાથમાં પ્લેકાર્ડ સાથે પરેડ કરાવી હતી. તેના પર લખેલું હતું. ‘ગાડી મેરે બાપ કી, રાસ્તા નહીં’. મિર્ઝાએ હાઈકોર્ટમાં આક્ષેપ કર્યો હતો કે પોલીસે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશોનું ઉલ્લંઘન કરીને જાહેરમાં તેમનું અપમાન કર્યું હતું.

ડિવિઝન બેન્ચે પોલીસકર્મીઓ પાસેથી જવાબ માંગ્યો હતો કે તેમની સામે કોર્ટના અવમાનના કાયદા હેઠળ કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. આગામી 7 ઓગસ્ટ સુધીમાં ખુલાસો માગવામાં આવ્યો છે, કેસની વધુ તપાસ માટે હાઈકોર્ટે નોટિસ ઈસ્યુ કરી છે. સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરી હાથમાં બેનર આપવામાં આવ્યું હતું તે મામલે કોર્ટ દ્વારા આકરુ વલણ અપનાવવામાં આવ્યું છે.

આમ અમદાવાદ પોલીસની જાહેરમાં કરવામાં આવેલી કાર્યવાહીનો આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. પોલીસ દ્વારા કથિત જાહેરમાં ગેરવર્તણૂક અને પરેડની ફરિયાદના આધારે હાઈકોર્ટે પોલીસને તિરસ્કારની નોટિસ ફટકારી છે.

Related posts

અમદાવાદના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી થઈ

Ahmedabad Samay

મેઘાણીનગર શાકમાર્કેટમાં ભાડું વસૂલી કરતા લોકોની તાનાશાહીનો મેઘાણીનગર પોલીસ દ્વારા આવ્યો અંત

Ahmedabad Samay

અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધીરણપત્રો એનાયત કરાયા

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું સવારે ૧૦૦ વર્ષની વયે થયું નિધન

Ahmedabad Samay

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

લો ગાર્ડને ખાણી-પીણીનો ધંધો કરતા વિક્રેતાઓ તેમના મૂળ સ્‍થળે પરત ફર્યા,ફરી જામશે સાંજે ખાવાની મહેફિલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો