February 9, 2025
ગુજરાત

સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મામલે હાઈકોર્ટે પોલીસ સામે નોટિસ ઈસ્યુ કરી

અમદાવાદના સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મામલે હાઈકોર્ટે પોલીસ અધિકારીઓ સામે નોટિસ ઈસ્યુ કરી છે. અદાલતના હુકમના તિરસ્કારની નોટિસ ઈસ્યુ કરી છે. કોર્ટે આ મામલે પોલીસ સ્ટાફમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહીતનાને નોટિસ ઈસ્યુ કરી છે.

5 જુલાઈના રોજ જુનૈદ મિર્ઝાની સિંધુ ભવન રોડ પર અમદાવાદ પોલીસે હાથમાં પ્લેકાર્ડ સાથે પરેડ કરાવી હતી. તેના પર લખેલું હતું. ‘ગાડી મેરે બાપ કી, રાસ્તા નહીં’. મિર્ઝાએ હાઈકોર્ટમાં આક્ષેપ કર્યો હતો કે પોલીસે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશોનું ઉલ્લંઘન કરીને જાહેરમાં તેમનું અપમાન કર્યું હતું.

ડિવિઝન બેન્ચે પોલીસકર્મીઓ પાસેથી જવાબ માંગ્યો હતો કે તેમની સામે કોર્ટના અવમાનના કાયદા હેઠળ કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. આગામી 7 ઓગસ્ટ સુધીમાં ખુલાસો માગવામાં આવ્યો છે, કેસની વધુ તપાસ માટે હાઈકોર્ટે નોટિસ ઈસ્યુ કરી છે. સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરી હાથમાં બેનર આપવામાં આવ્યું હતું તે મામલે કોર્ટ દ્વારા આકરુ વલણ અપનાવવામાં આવ્યું છે.

આમ અમદાવાદ પોલીસની જાહેરમાં કરવામાં આવેલી કાર્યવાહીનો આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. પોલીસ દ્વારા કથિત જાહેરમાં ગેરવર્તણૂક અને પરેડની ફરિયાદના આધારે હાઈકોર્ટે પોલીસને તિરસ્કારની નોટિસ ફટકારી છે.

Related posts

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

લગ્નની જાન લઇને આવતા જાનૈયાઓને અટકાવાતા જાનૈયાઓએ વેજલપુર પોલીસ ઉપર હૂમલો કર્યો

Ahmedabad Samay

સફરજન બોક્ષની આડમાં વિદેશી દારૂ લઇ જતા ઝડપાયું, રૂ.૩૦.૩૦ લાખનો મુદ્દા માલ જપ્ત

Ahmedabad Samay

ગુરુપૂર્ણિમા નિમિત્તે, અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહંત શ્રી ૧૦૦૮ શ્રી લક્ષ્મણદાસ જી મહારાજના આશીર્વાદ લીધા હતા

Ahmedabad Samay

રીક્ષા ચાલક ચેતી જજો,ચાર રસ્તાના ૫૦ મીટરમાં રિક્ષા ઉભી રાખશે, તો તેની રિક્ષા ડિટેઈન કરવામાં આવશે.

Ahmedabad Samay

ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા, ગૃહ મંત્રી અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલ ૧૪૬મી રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો