December 10, 2025
ધર્મ

હરિયાળી તીજ પર ભગવાન વિષ્ણુની પૂજા કરો, મનોકામના પૂર્ણ થશે! જાણો રીત અને તારીખ

પંચાંગ અનુસાર, સાવન મહિનાના શુક્ષપક્ષની તૃતીયા તિથિ એટલે કે 18 ઓગસ્ટ, 2023ના રોજ રાત્રે 08:01 વાગ્યે શરૂ થશે. આ તારીખ 19 ઓગસ્ટ, 2023ના રોજ રાત્રે 10:19 વાગ્યે સમાપ્ત થશે. ઘણી જગ્યાએ હરિયાળી તીજને કાજલી તીજના નામથી પણ ઊજવવામાં આવે છે. આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ ખાસ દિવસે વ્રત કરવામાં આવે છે. હરિયાળી તીજનો સવારનો સમય 07.47થી 09.22 સુધીનો છે. બપોરના મુહૂર્તની વાત કરીએ તો તે બપોરે 12.32થી 02.07 સુધીનો છે. જો સાંજના મુહૂર્તની વાત કરીએ તો તે સાંજના 06.52થી રાત્રે 07.15 સુધી છે. તેમ જ રાત્રિનું મુહૂર્ત 12.10થી 12.55 સુધીનું છે.

હરિયાળી તીજ પર આ મંત્રનો કરો જાપ 

હરિયાળી તીજ પર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જો કોઈ મહિલા આ તહેવાર પર ઉપવાસ કરે છે, તો પૂજા કરતી વખતે, ઓમ વિષ્ણવે નમઃ અને ઓમ નમો નારાયણાય આ બે મંત્રનો જાપ કરી શકે છે. જો કોઈ આવું કરે છે તો ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે. બ્રાહ્મણની સાથે સદાચારી બ્રાહ્મણને ભોજન આપ્યા પછી, તેને દક્ષિણા, દ્રવ્ય અને વસ્ત્રભૂષણાદી સાથે વિદાય આપો.

પરિણીત મહિલાઓ હાથ પર મહેંદી લગાવે છે

મોટાભાગે પરિણીત યુવતીઓ તેમના પિયરે શ્રાવણી તીજ ઉજવે છે. આ શુભ દિવસે દીકરીઓને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને મોકલવામાં આવે છે. સુહાગીને સાસુના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવે છે. હરિયારી તીજ પર મહિલાઓ મહેંદી લગાવે છે, તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે રાજપૂતો જયપુરમાં લાલ રંગના વસ્ત્રો પહેરે છે અને પાર્વતીજીની સવારી ધામધૂમથી કાઢવામાં આવે છે.

Related posts

વાસ્તુશાસ્ત્ર: જીવનમાં પરેશાનીઓ લાવી શકે છે વિખરાયેલા વીજળીના તાર, ઘરથી લઈને ઓફિસ સુધી પડે છે ખરાબ અસર

Ahmedabad Samay

ગુરુવારથી દીપોત્‍સવી પર્વની રોનક શરૂ થઇ જશે

Ahmedabad Samay

કાલસર્પ દોષ અને સર્પદંશથી છુટકારો મેળવવા નાગ પંચમી પર કરો 8 નાગની પૂજા

Ahmedabad Samay

ગંગા દશેરા પર માતા ગંગાની પૂજા કરી, રાશિ અનુસાર આ વસ્તુઓનું કરો દાન, અનેક લાભના બનશો હકદાર

Ahmedabad Samay

ગુજરાતના છેવાડાઓ સુધી મસ્‍જિદો પરના લાઉડ સ્‍પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્‍દુ સેના દ્વારા ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનમા મહાકાલ લોકનુ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો