March 21, 2025
ગુજરાત

દિવ્યપથ શાળાની વિદ્યાર્થિની અને વાહ એવોર્ડ વિજેતા આયુષી રાવલ ને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન દ્વારા પીએચડી માટે નિમંત્રણ

દિવ્યપથ માંથી ધોરણ ૧૨ સાયન્સ પાસ કર્યા બાદ આયુષી એ પોતાની મહત્વાકાંક્ષાને પરિપૂર્ણ કરવા અને વૈજ્ઞાનિક જિજ્ઞાસાઓને સંતોષવા ગુજરાત, અમદાવાદ ની એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ માંથી અંડરગ્રેજ્યુએટ ડિગ્રી તરીકે બાયોમેડિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનું પસંદ કર્યું. એક વાર, કૉલેજથી મુસાફરી કરતી વખતે, એક માર્ગ અકસ્માત એણે જોયો જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ખૂબ લોહી વહી રહ્યું હતું.

એમ્બ્યુલન્સને સ્થળ પર પહોંચવામાં 20 મિનિટનો સમય લાગ્યો અને આ ઘટનાએ આયુષી ને ખૂબ અસર કરી. આ અવલોકન થી સેલ બાયોલોજીમાં એની રુચિ વધી. અને આઘાતજનક રક્તસ્રાવની સ્થિતિ માટે હેમોસ્ટેટિક ઘા ડ્રેસિંગ પરના એના એન્જિનિયરિંગ ઇનોવેશન પ્રોજેક્ટનો એક ભાગ બની ગઈ. આ પ્રોજેક્ટને ગુજરાત સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP) તરફથી પ્રોટોટાઈપ ડેવલપમેન્ટ માટે ગ્રાન્ટ અને ફાર્માકોલોજી વિભાગ, LM કોલેજ ઓફ ફાર્મસી, ભારત સાથે સંશોધન સહયોગ પ્રાપ્ત થયો છે. કોરોના રોગચાળા દરમિયાન એના સંશોધન ને થોડો વધુ સમય લાગ્યો, પરંતુ તે ક્યારેય અટક્યો નહીં. 2020 માં સ્નાતક થયા પછી, એણે જુલાઈ 2021 સુધી લગભગ એક વર્ષ સુધી આ જ પ્રોજેક્ટ પર કામ કરવાનું ચાલુ રાખ્યું.

પાછળથી, આ પ્રોજેક્ટને VASCSC-WAAH સાયન્સ લોરિએટ એવોર્ડ માટે પ્રસ્તુતિ માટે પસંદ કરવામાં આવ્યો જ્યાં તેને પ્રથમ ઇનામ સ્વરૂપે એક લાખનો નાણાકીય પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર મળ્યો. VASCSC-WAAH યુવા સંશોધકો ને ઓળખવા અને તેમના કામનું મૂલ્યાંકન કરવામાં અતુલ્ય કાર્ય કરી રહ્યું છે. ત્યાર બાદ આયુષી એ જ્ઞાન અને શિક્ષણને આગળ વધારવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી IIT BHU, વારાણસી માંથી બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું જ્યાં એણે સ્ટેમ સેલ કલ્ચર પર કામ કર્યું. સ્ટેમ સેલ્સ પર કામ કરવાથી શીખવાની માહિતી અને શક્યતાઓનું વિશાળ ક્ષેત્ર ખુલ્યું જેણે આયુષી ને શિક્ષણ તથા સંશોધન ને આગળ વધારવા માટે પ્રેરણા આપી. યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસન, યુએસએ ખાતે ન્યુરોસાયન્સ વિભાગમાં. પીએચ.ડી. કરવા નિમંત્રણ મળ્યું અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH) તરફથી T32 તાલીમ અનુદાન દ્વારા સંપૂર્ણ ભંડોળ પી.એચ. ડી. માટે પૂરું પાડવામાં આવશે.

વધુમાં આયુષી જણાવે છે કે ફેબ્રુઆરીમા VASCSC-WAAH ના એવોર્ડ કાર્યક્રમ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયાના ભાગ રૂપે, વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટરમાં મારા પોસ્ટર પ્રેઝન્ટેશન વિશે પૂછવામાં આવ્યું અને તે મારા માટે ગર્વની ક્ષણ હતી જે પછી અમે ડૉ. સારાભાઈ અને ભારતીય અવકાશ કાર્યક્રમમાં તેમના યોગદાનની ટૂંકમાં ચર્ચા કરી અને ઈસરો ના સ્થાપક ડૉ. વી. એ. સારાભાઈ જેવા ભારતીય વૈજ્ઞાનિકો STEM માં તેમના અમૂલ્ય યોગદાન માટે સમગ્ર વિશ્વમાં ખૂબ જ સન્માનિત છે અને તેમની સંસ્થા તરફથી મારા માટે એવોર્ડ મેળવવો ખૂબ જ પ્રેરક બની રહ્યો. આ સંક્ષિપ્ત અહેવાલે મને ફરી એક વાર અહેસાસ કરાવ્યો છે કે આપણે ભારતીયો પાસે STEMના ક્ષેત્રમાં ઘણી ક્ષમતાઓ છે અને યોગ્ય તાલીમ અને પ્રેરણા આપવામાં આવે તો તે માનવજાતની સેવા અને રાષ્ટ્રની પ્રગતિ માટે ઉપયોગી થઈ શકે છે. WAAH સાયન્સ લોરિએટ પુરસ્કારો મારા જેવા તમામ યુવા વૈજ્ઞાનિકો માટે પ્રેરણારૂપ છે. આવા પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત થવાથી, મારી અંદર આગ પ્રજ્વલિત થઇ છે. અને તે મને મારા સંશોધન અને શિક્ષણની સીમાઓને આગળ વધારવા માટે પ્રેરિત કરે છે.

Related posts

જાહેર ચેતાવણી.

Ahmedabad Samay

ભાજપ ઉમેદવાર અમિતભાઈ  શાહે અમદાવાદના નરોડા વિસ્તારમાં જનસભાને સંબોધન કર્યું

Ahmedabad Samay

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સની અચાનક હડતાળ

Ahmedabad Samay

સૈજપુર વોર્ડના ઉમેદવારોને કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની ફોટો ફ્રેમ અપાઇ

Ahmedabad Samay

ક્રુષ્ણનગરના પાર્શ્વનાથ ટાઉનશીપમાં ૦૧ માં થી ૦૯,૮૪,૪૦૦ કિંમતની ચોરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો