August 7, 2026
ગુજરાતરાજકારણ

ભાજપના નવા મંત્રીઓ એ લીધા શપથ

ભાજપના મિશન ૨૦૨૭ માટે મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી નવા જોડાણોનું પરીક્ષણ કરવાનો પણ પ્રયાસ કરશે. આ એટલા માટે પણ મહત્‍વપૂર્ણ છે કારણ કે યુવા નેતા ગોપાલ ઇટાલિયાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી ભાજપના પાટીદાર ગઢમાં પોતાનો પ્રભાવ વધારી રહી છે.

ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્‍તરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં, ગુજરાતના નવ ભૂતપૂર્વ મંત્રીઓને દૂર કરવામાં આવ્‍યા છે, જ્‍યારે નવા મંત્રીમંડળમાં છ નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ જૂના ચહેરાઓમાં ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, પુરુષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી અને હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે.

ભારતીય ક્રિકેટર રવિન્‍દ્ર જાડેજાની પત્‍ની રીવાબા જાડેજાનો પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ ઉપરાંત ત્રિકમ બીજલ છાંઘા, સ્‍વરૂપજી સરદારજી ઠાકોર, પ્રવિણ માળી, ઋષિકેશ પટેલ, પી.સી.બરંડા, દર્શના વાઘેલા, કાંતિલાલ અમળતિયા, કુંવરજીભાઈ બાવળિયા, રીવાબા જાડેજા, અર્જુન મોઢવાડિયા, ડો.પ્રદ્યુમન વાજા, કૌશિક સોલંકી, જિજ્ઞેશ વેકરિયા, ડો. સોલંકી, કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, રમેશ કટારા, પ્રફુલ પાનસેરિયા, હર્ષ સંઘવી, મનીષા વકીલ, અને ઈશ્વરસિંહ પટેલનો નવા મંત્રીઓની યાદીમાં સમાવેશ થાય છે.

હર્ષ સંઘવી, નાયબ મુખ્‍યમંત્રી

જીતુ વાઘાણી, કેબિનેટ મંત્રી,

નરેશ પટેલ, કેબિનેટ મંત્રી,

અર્જુન મોઢવાડિયા, કેબિનેટ મંત્રી,

પ્રદ્યુમન વાજા, કેબિનેટ મંત્રી,

રમન સોલંકીને કેબિનેટ મંત્રી તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા,

કુંવરજી બાવળિયા, કેબિનેટ મંત્રી,

કનુ દેસાઈ અને ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી તરીકે ચાલુ રહેશે.

રાજ્‍યમંત્રી (૧૩)

કાંતિ અમળતિયા, રાજ્‍યમંત્રી

રમેશ કટારા, રાજ્‍યમંત્રી

દર્શના વાઘેલા, રાજ્‍યમંત્રી

પ્રવીણ માલી, રાજ્‍યમંત્રી

સ્‍વરૂપ ઠાકોર, રાજ્‍યમંત્રી

જયરામ ગામીત, રાજ્‍યમંત્રી

રીવાબા જાડેજા, રાજ્‍યમંત્રી

પી.સી. બરંડા, રાજ્‍યમંત્રી

સંજય મહિડા, રાજ્‍યમંત્રી

કમલેશ પટેલ, રાજ્‍યમંત્રી

ત્રિકમ છાંગા, રાજ્‍યમંત્રી

કૌશિક વેકરિયા, રાજ્‍યમંત્રી

Related posts

રાજકોટ હોમગાર્ડ જવાનોને માઠા સમાચાર, ૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાયા

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્ર હિન્દૂ સેના દ્વારા છબીલા હનુમાન મંદિર સરસપુર ખાતે “અખંડ રામાયણ પાઠ” નું આયોજન કરાયું

Ahmedabad Samay

26 & 27ઓગષ્ટે રક્ષાબંધન-2023′ પર્વ નિમિત્તે ‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા અનોખી રીતે રક્ષાબંધન ઉજવાઇ

Ahmedabad Samay

LPG પુરવઠા પર લાદવામાં આવેલા પ્રતિબંધો લગભગ સંપૂર્ણપણે હટાવી દીધા, ગ્રાહકો હવે પહેલાની જેમ LPGનો ઉપયોગ કરી શકશે.

Ahmedabad Samay

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધ્યા,શંકાસ્પદ કેસ વધીને 71 થયા

Ahmedabad Samay

પોલીસ ભરતી બોર્ડે ૧૩,૫૯૧ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો