August 9, 2026
ગુજરાત

ગુજરાત યુનિવર્સિટી માનહાની કેસ મામલે સીએમ કેજરીવાલ સુપ્રીમકોર્ટમાં જાય તેવી શક્યતા, જાણો શું છે મામલો

ગુજરાત હાઈકોર્ટમાંથી વચગાળાની રાહત ન મળતાં કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો છે. તેમની અરજી આગામી 8 થી 10 દિવસમાં સુનાવણી માટે આવી શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં રાહત માટે સુપ્રીમ કોર્ટના દ્વારા ખટખટાવશે.

અરવિંદ કેજરીવાલ પીએમ મોદીની ડિગ્રી વિવાદ સંબંધિત ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં રાહત મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં જશે. ગુજરાત હાઈકોર્ટે માનહાનિના કેસમાં સુનાવણી પર વચગાળાનો સ્ટે આપવાનો ઈન્કાર કર્યા બાદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરશે. 11 ઓગસ્ટના રોજ માનહાનિના કેસની સુનાવણી પર વચગાળાનો સ્ટે લાદીને રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો.

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ વિરુદ્ધ માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. અરવિંદ કેજરીવાલે પીએમ મોદીની ડિગ્રી પર ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર રિવિઝન પિટિશન દાખલ કરી છે. જેમાં તેમણે નિર્ણયની યોગ્યતા પર સવાલો ઉઠાવ્યા છે. હાઈકોર્ટમાં આ મામલે હજુ સુધી સુનાવણી થઈ નથી.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેજરીવાલ અને સંજય સિંહની અરજી પર આ મહિને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે. ગુજરાત હાઈકોર્ટના આંચકા બાદ 11 ઓગસ્ટે મેટ્રોપોલિટન કોર્ટમાં સુનાવણી દરમિયાન કેજરીવાલ અને સંજયસિંહે પહેલીવાર દલીલ કરી હતી કે તેઓ ગુજરાત યુનિવર્સિટીને બદનામ કરવા માટે દોષિત નથી. બંને નેતાઓના વકીલોએ તેમના નિવેદનો નોંધ્યા હતા.તેના જવાબમાં ગુજરાત યુનિવર્સિટીના વકીલો વતી વોરંટ કાઢવાની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે આ અંગે સુનાવણી માટે 31 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.

Related posts

બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા નુ આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ,સાંજે ૦૬:૩૦ સુધી થયાવત રહે તેવી સંભાવના

Ahmedabad Samay

ચાલું વર્ષના અંત સુધીમાં એએમસીનું દેવું 4000 કરોડથી વધી જશે તેવો વિપક્ષનો આક્ષેપ

Ahmedabad Samay

રાજસ્થાન હોસ્પિટલના બે માળના બેઝમેન્ટમાંથી નીચેના પાર્કિંગ બેઝમેન્ટમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

૧૦૮ તરિકે જાણીતા જન સેવક શ્રી ભવાનીસિંહ શેખાવત અને “સેવા પરમો ધર્મ” માનનારા સંજય સાહુ સાથે મુલાકાત

Ahmedabad Samay

સુરત- બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોની ખેર નહી! સુરત પોલીસ એક કિમી દૂર સ્પીડ ગનથી પકડી પાડશે, થશે દંડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો