February 6, 2026
Other

અમદાવાદ – કોર્પોરેશનમાં નાગરીકો ફરીયાદો કરે છે પરંતુ નિકાલ કરવાની વાતો, લોકોની સમસ્યાનું સમાધાન નહીં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને ફરીયાદો સાંભળી તેનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ સમસ્યાઓમાંથી કેટલાક લોકોની સમસ્યાઓ લટકેલી જ જોવા મળે છે. તાજેતરમાં જ શહેરના તમામ વોર્ડમાં ફરીયાદ નિવારણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં 10 હજારથી વધુ ફરીયાદ કોર્પોરેશનને મળી છે જેમાંથી 8000થી વધુ ફરીયાદનું નિરાકરણ કરવામાં આવ્યું છે પરંતુ તે છતાં લોકોની ફરીયાદોનું સમાધાન ન આવતા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. કેમ કે, ઘણા લોકોની રોડ, પાણી, ગટર સહીતની સિવિક સમસ્યાઓનું સમાધાન નથી આવ્યું.

ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં લોકોને આ પ્રકારની સમસ્યાનો સામનો વધુ કરવો પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ ફરીયાદો પણ ઉઠી છે. આ સિવાય પશ્ચિમ વિસ્તારના લોકોની પણ કેટલીક સમસ્યાઓ સોલ્વ ન થતા લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

આ પ્રકારની ફરીયાદો આવી
ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જવાની, સતત ગટર એક જ સ્થળે ઉભરાવાની, રોડ રસ્તા અને ખાડાની સમસ્યા, પાણીના કનેક્સન બાબતની તેમજ આ સહીતની અનેક ફરીયાદો કોર્પોરેશનને મળી રહી છે. જેમાંથી કેટલીક સમસ્યાઓનું સમાધાન થાય છે તો કેટલીક સમસ્યાઓ લેટ સોલ્વ થતી હોય છે જેથી લોકોમાં નારાજગી જોવા મળે છે.

Related posts

મંગળ મજબૂત લાભ આપશે, આર્થિક સ્થિતિ મજબૂત થશે; ભાઈ-બહેન સાથે થઈ શકે છે વિવાદ

Ahmedabad Samay

જ્ઞાનવાપી સ્‍થિત વ્‍યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી પર પ્રતિબંધના મામલામાં મુસ્‍લિમ પક્ષની અરજીને ફગાવી દીધી

Ahmedabad Samay

નાણામંત્રી નિર્મલા સિતારમન સાંજે ૦૪ વાગે પેકેજ જાહેર કરશે.

Ahmedabad Samay

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલમાં જરૂરિયાતમંદ પેશન્ટને બ્લેંકેટ ની વહેંચણી કરવામાં આવી

Ahmedabad Samay

લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો