March 25, 2025
Other

અમદાવાદ – કોર્પોરેશનમાં નાગરીકો ફરીયાદો કરે છે પરંતુ નિકાલ કરવાની વાતો, લોકોની સમસ્યાનું સમાધાન નહીં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને ફરીયાદો સાંભળી તેનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ સમસ્યાઓમાંથી કેટલાક લોકોની સમસ્યાઓ લટકેલી જ જોવા મળે છે. તાજેતરમાં જ શહેરના તમામ વોર્ડમાં ફરીયાદ નિવારણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં 10 હજારથી વધુ ફરીયાદ કોર્પોરેશનને મળી છે જેમાંથી 8000થી વધુ ફરીયાદનું નિરાકરણ કરવામાં આવ્યું છે પરંતુ તે છતાં લોકોની ફરીયાદોનું સમાધાન ન આવતા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. કેમ કે, ઘણા લોકોની રોડ, પાણી, ગટર સહીતની સિવિક સમસ્યાઓનું સમાધાન નથી આવ્યું.

ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં લોકોને આ પ્રકારની સમસ્યાનો સામનો વધુ કરવો પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ ફરીયાદો પણ ઉઠી છે. આ સિવાય પશ્ચિમ વિસ્તારના લોકોની પણ કેટલીક સમસ્યાઓ સોલ્વ ન થતા લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

આ પ્રકારની ફરીયાદો આવી
ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જવાની, સતત ગટર એક જ સ્થળે ઉભરાવાની, રોડ રસ્તા અને ખાડાની સમસ્યા, પાણીના કનેક્સન બાબતની તેમજ આ સહીતની અનેક ફરીયાદો કોર્પોરેશનને મળી રહી છે. જેમાંથી કેટલીક સમસ્યાઓનું સમાધાન થાય છે તો કેટલીક સમસ્યાઓ લેટ સોલ્વ થતી હોય છે જેથી લોકોમાં નારાજગી જોવા મળે છે.

Related posts

નરોડા ખાતે આવેલ DSC સ્કૂલ દ્વારા ૭૭મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામા આવી

Ahmedabad Samay

રાજ્યકક્ષાનાં “ચોટીલા ઉત્સવ-૨૦૨૩” નો નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે શુભારંભ

Ahmedabad Samay

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 41 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા.

Ahmedabad Samay

મેઘાણીનગરમાં બન્યો હિટ એન્ડ રન નો કેસ, બે મતવિસ્તારે લીધો સાત વર્ષના માસૂમ બાળકનો ભોગ, બે મતવિસ્તારના વિભાજનમાં આમ જનતાનો લેવાય છે ભોગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો