March 23, 2026
ગુજરાતરાજકારણ

જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર ભગતસિંહની જયંતીના પ્રસંગે કોંગ્રેસમાં જોડાયા

ભગતસિંહની જયંતીના પ્રસંગે સીપીઆઇ નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. આ પહેલા રાહુલ ગાંધી સાથે બન્ને નેતા દિલ્હીના આઇટીઓ સ્થિત શહીદી પાર્ક પહોચ્યા હતા. અહી ત્રણેય નેતાઓએ ભગત સિંહની પ્રતિમા પર માળા અર્પણ કરી હતી. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસમાં કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણીની ભૂમિકા શું હશે તેને લઇને તસવીર સ્પષ્ટ નથી. જોકે, કહેવામાં આવી રહ્યુ છે કે બન્ને યુવા નેતા દેશભરમાં યુવાઓને કોંગ્રેસ સાથે જોડવા અને મોદી સરકાર વિરૂદ્ધ આંદોલનની મુહિમ ચલાવી શકે છે. એવી પણ ચર્ચા છે કે બિહારમાં કન્હૈયા કુમાર અને ગુજરાતમાં જિગ્નેશ મેવાણીને કોંગ્રેસ મોટુ પદ પણ આપી શકે છે. આ રણનીતિ હેઠળ આવનારા દિવસોમાં કેટલાક યુવા નેતા કોંગ્રેસમાં સામેલ થશે.

Related posts

છારાનગરની ફ્રી કોલોનીમાં તસ્કરોએ માત્ર લૂંટના ઈરાદે 60 વર્ષીય વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી

Ahmedabad Samay

ભાજપ તરફે નાની ઉંમરે લીલાધર ખડકેને સોપાઈ જવાબદારી

Ahmedabad Samay

RTOના અધિકારી અને કર્મચારી ડબલ શિફટમાં કામ કરશે

Ahmedabad Samay

રાજપુતાણી ના ત્યાગ અને સમર્પણ ને વંદન,

Ahmedabad Samay

પેટ્રોલ ડીઝલના ભાવમા ફરી એકવાર થયો વધારો

Ahmedabad Samay

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે નવી AC પ્રતિક્ષાલયની શરૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો