June 27, 2026
Other

રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

આજે રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડી અને તેમની સાથેના નિર્દોષ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત, તેમના ઘાયલ સુરક્ષા કર્મચારીઓના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં સમાજના તમામ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી અને તેમના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

આ કાયરતાપૂર્ણ બનાવ અંગે જાહેર નિંદા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને સરકાર આ જઘન્ય ગુનાના કાયર ગુનેગારોને વહેલી તકે કડકમાં કડક સજા આપે તેવી માંગ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.


સાથે જ ઉપસ્થિત આગેવાનોએ સુખદેવસિંહ અમર રહેના નારાથી આકાશ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે સામાજિક આગેવાનો ભવાનીસિંહ શેખાવત, મહિપાલસિંહ ચૌહાણ, અનિલસિંહ સિસોદિયા, અતુલ મિશ્રા, ધર્મેન્દ્ર અરોરા, તેજસિંહ કુમ્પાવત, મહાવીરસિંહ જાદૌન, ઈન્દરસિંહ ભાટી, રાકેશસિંહ તોમર, હર્ષ પંડ્યા, અર્જુનસિંહ પંથેડી, સંજયસિંહ રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. , જીતેન્દ્રસિંહ ઠાકુર, અજય માલી, શિવનારાયણ ગર્ગ, પ્રવીણ ગેહલોત, દિપક સાંખલા, અશોક વ્યાસ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવ યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

નકલી નોટોનો સૌથી મોટો કૌભાંડ,સુરતના સત્‍યમ યોગ ફાઉન્‍ડેશનની ગાડીમાં નકલી નોટોની હેરાફેરી થતી હતી

Ahmedabad Samay

દુઃખદ અવસાન

Ahmedabad Samay

માર્ચમાં આ ગ્રહ બતાવશે ચમત્કાર, સોના-ચાંદીનો ભારે વરસાદ થશે; દરેક સંકટ એક ચપટીમાં દૂર થઈ જશે

Ahmedabad Samay

ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, આદરણીય શ્રી લાલ સિંહ આર્યજી આજરોજ અમદાવાદની મુલાકાત લેશે

Ahmedabad Samay

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ભારતીય વિદેશ સેવા અધિકારી તાલીમાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમનું વેલિડિક્ટરી સત્ર યોજાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો