June 27, 2026
Other

રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

આજે રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડી અને તેમની સાથેના નિર્દોષ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત, તેમના ઘાયલ સુરક્ષા કર્મચારીઓના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં સમાજના તમામ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી અને તેમના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

આ કાયરતાપૂર્ણ બનાવ અંગે જાહેર નિંદા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને સરકાર આ જઘન્ય ગુનાના કાયર ગુનેગારોને વહેલી તકે કડકમાં કડક સજા આપે તેવી માંગ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.


સાથે જ ઉપસ્થિત આગેવાનોએ સુખદેવસિંહ અમર રહેના નારાથી આકાશ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે સામાજિક આગેવાનો ભવાનીસિંહ શેખાવત, મહિપાલસિંહ ચૌહાણ, અનિલસિંહ સિસોદિયા, અતુલ મિશ્રા, ધર્મેન્દ્ર અરોરા, તેજસિંહ કુમ્પાવત, મહાવીરસિંહ જાદૌન, ઈન્દરસિંહ ભાટી, રાકેશસિંહ તોમર, હર્ષ પંડ્યા, અર્જુનસિંહ પંથેડી, સંજયસિંહ રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. , જીતેન્દ્રસિંહ ઠાકુર, અજય માલી, શિવનારાયણ ગર્ગ, પ્રવીણ ગેહલોત, દિપક સાંખલા, અશોક વ્યાસ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જ્ઞાનવાપી સ્‍થિત વ્‍યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી પર પ્રતિબંધના મામલામાં મુસ્‍લિમ પક્ષની અરજીને ફગાવી દીધી

Ahmedabad Samay

વાડજ પોલીસ સ્ટેશન દ્વારા મોડિફાઈડ સાયલેન્સરોના કારણે રસ્તા પરથી પસાર થતી વખતે ભારે કર્કશ અવાજ કરતા સામે કડક કાર્યવાહી કરી

Ahmedabad Samay

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલમાં જરૂરિયાતમંદ પેશન્ટને બ્લેંકેટ ની વહેંચણી કરવામાં આવી

Ahmedabad Samay

જૂનાગઢ લોકસભાની બેઠક પર રાજેશભાઈ ચુડાસમા અને વિજાપુરથી ડૉ સી જે ચાવડાને ટિકિટ અપાઇ

Ahmedabad Samay

પ્રથમ વખત દેશના વડાપ્રધાનશ્રીની નેમ પ્લેટ પર ‘ઇંડિયા’ ને બદલે ભારત લખાયું

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો